મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળીમાં આધેડને બારીની બાબતમાં ચાર શખ્સોએ માર માર્યો


SHARE











ટંકારાના હરબટીયાળીમાં આધેડને બારીની બાબતમાં ચાર શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા આધેડને તેઓના ઘરની સામે કેમ બારી મૂકી તેવું કહીને ચાર શખ્સો દ્વારા ગાળા ગાળી કરવામાં આવી હતી અને બાદમાં ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તેમ જપાજપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અશોકભાઈ ભગવાનજીભાઈ સંઘાણી જાતે પટેલ (૪૯) એ હાલમાં અનીશભાઈ ઈસાભાઈ, નજીરભાઈ ઈશાભાઈ, અરમાન ઈશાભાઈ અને ઇરફાન અલીભાઈ રહે. બધા હરબટીયાળી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને કહ્યું છે કે હરબટીયાળી ગામના ઝાપા પાસે આરોપીઓએ તેને રોક્યા હતા અને તેઓના ઘરની સામે કેમ બારી મૂકે છે તેવું કહીને તેની સાથે બોલા ચાલી અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ ગાળો આપી હતીને અનીશભાઈ ઈશાભાઈએ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી આધેડને માર માર્યો હતો તેમજ અન્ય ત્રણ શખ્સોએ ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ઇજા પામેલા અશોકભાઈ સંઘાણીએ સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News