મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે ફેફસાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું


SHARE











માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે ફેફસાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા વૃદ્ધે પોતાની ફેફસાની બીમારીથી કંટાળી જઈને પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની મૃતકના દીકરાએ માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા જેરામભાઈ લક્ષ્મણભાઈ સરડવા જાતે પટેલ (૭૫)એ પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતકના દીકરા ભાવેશભાઈ જેરામભાઈ સરડવા (૩૪) રહે.  સરવડ વાળાએ માળિયા તાલુકા પોલીસે જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધને ફેફસાની બીમારી હોય તેને બીમારીથી કંટાળી જઈને પોતાના ઘરે હતા ત્યારે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને તેનું સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું છે

વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરમાં આવેલ હાજીઅલી ચેમ્બર પાસે બદરે આલમ તમીજુદ્દીન (૬૦) રહે, ધિયાવાડ  તાલુકો વાંકાનેર વાળા કુદરતી કારણોસર બેભાન થઈ જતા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે અબ્દુલ કાદિર લઈને આવ્યા હતા અને ત્યાં બદરે આલમ તમીજુદ્દીનને જોઈ તપાસીને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News