મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચીથી ગુમ થયેલ બાળકી સીમમાંથી એકલી મળી આવી


SHARE











માળિયા (મી)ના ખાખરેચીથી ગુમ થયેલ બાળકી સીમમાંથી એકલી મળી આવી

માળીયા મિંયાણા તાલુકામાં આવેલ ખાખરેચી ગામેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ અને પરિવાર દ્વારા બાળકીને શોધવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ બાળકી ખખરેચી ગામની સીમમાંથી મળી આવી હોવાનું જાણવા મળેલ છે  

હળવદના ચરાડવા ગામે રહેતો ગદલીયા પરિવાર ખાખરેચી ગામે લુહારી કામ કરતો હોય લોખંડના બકડિયા, ડોલ, તગારા, સગડી, ચૂલા વિગેરે વેચવા માટે ગયો હતો દરમિયાન ત્યાંથી તેઓની અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હતું જેથી પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને તા.૮ ના રોજ માળીયાના ખાખરેચી ગામે ચરાડવાનો ગાદલીયા પરીવાર ગયો હતો ત્યારે આ પરિવારની અઢી વર્ષની બાળકી લક્ષ્મીબેન મેરાભાઈ મનજીભાઈ ચૌહાણનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી પરિવાર અને પોલીસ દ્વારા તેને શોધવા માટેની તજવીજ કરવામાં આવી હતી દરમ્યાન આજે આ બાળકી ખખરેચી ગામની સીમમાંથી મળી આવેલ છે જેથી પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે જો કે, બાળકીનું અપહરણ થયું હતું કે, પછી તે ભૂલી પડી ગઈ હતી તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News