વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચીથી ગુમ થયેલ બાળકી સીમમાંથી એકલી મળી આવી


SHARE











માળિયા (મી)ના ખાખરેચીથી ગુમ થયેલ બાળકી સીમમાંથી એકલી મળી આવી

માળીયા મિંયાણા તાલુકામાં આવેલ ખાખરેચી ગામેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ અને પરિવાર દ્વારા બાળકીને શોધવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ બાળકી ખખરેચી ગામની સીમમાંથી મળી આવી હોવાનું જાણવા મળેલ છે  

હળવદના ચરાડવા ગામે રહેતો ગદલીયા પરિવાર ખાખરેચી ગામે લુહારી કામ કરતો હોય લોખંડના બકડિયા, ડોલ, તગારા, સગડી, ચૂલા વિગેરે વેચવા માટે ગયો હતો દરમિયાન ત્યાંથી તેઓની અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હતું જેથી પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને તા.૮ ના રોજ માળીયાના ખાખરેચી ગામે ચરાડવાનો ગાદલીયા પરીવાર ગયો હતો ત્યારે આ પરિવારની અઢી વર્ષની બાળકી લક્ષ્મીબેન મેરાભાઈ મનજીભાઈ ચૌહાણનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી પરિવાર અને પોલીસ દ્વારા તેને શોધવા માટેની તજવીજ કરવામાં આવી હતી દરમ્યાન આજે આ બાળકી ખખરેચી ગામની સીમમાંથી મળી આવેલ છે જેથી પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે જો કે, બાળકીનું અપહરણ થયું હતું કે, પછી તે ભૂલી પડી ગઈ હતી તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News