મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા ગામે ભૂસ્તરમાંથી શંકાસ્પદ પદાર્થ બહાર આવતા કુતૂહલ: તપાસનો ધમધમાટ


SHARE











વાંકાનેરના ગારીડા ગામે ભૂસ્તરમાંથી શંકાસ્પદ પદાર્થ બહાર આવતા કુતૂહલ: તપાસનો ધમધમાટ

વાંકાનેર તાલુકાના ગારીડા ગામની સામે આવેલ ડુંગરના ધાર વિસ્તારમાં બુધવારે રાત્રીના સમયે પહેલા બ્લાસ્ટ થયો હતો અને ત્યાર બાદ ભૂસ્તરમાંથી શંકાસ્પદ પદાર્થ બહાર આવતા કુતૂહલ સર્જાયું છે અને આ અંગેની વાંકાનેરના પ્રાંત અધિકારી અને મામલતદારને જાણ કરવામાં આવતા હાલમાં તપાસનો ધમધમાટ સહરું કરવામાં આવેલ છે

એક બાજુ વર્તમાન સમયમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ મોરબી જિલ્લાના ગારિડા ગામે આવેલ ડુંગરના ધાર વિસ્તારમાં બુધવારે રાત્રીના સમયે બનેલા બનાવને લઈને લોકોમાં ભારે કુતૂહલ છે હાલમાં ગારિડા ગામના સરપંચ યુનુસભાઈ માથકીયાના કહેવા મુજબ ડુંગરના ધાર વિસ્તારમાં પહેલા બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો હતો પછી જમીનમાંથી ધુમાડા સાથે પદાર્થ નીકળ્યો હતો જે અંગેની ત્યાં માલઢોર રાખતા માલધારીએ તેઓને અને ગામના લોકોને જાણ કરી હતી જેથી કરીને ગ્રામજનોમાં હાલમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ અંગેની તેઓએ વાંકાનેર તાલુકાનાં પ્રાંત અધિકારીને જાણ કરી હતી

હાલમાં પ્રાંત અધિકારી સેરશિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, વાંકાનેરના મામલતદાર અને ટીડીઓને સ્થળ તપાસ માટે મોકલ્યા હતા જેથી કરીને મામલતદાર કાનાણી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, લાવા જેવો શંકાસ્પદ પદાર્થ લાગી રહ્યો છે જો કે, લાવા છે કે નહીં તેની તપાસ પાસે જીપીસીબી અને જિયોલોજિસ્ટ વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી છે જો કે, ગારિડા ગામ પાસે નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ડુંગરની ધારમાં જમીનમાં ઘુઘવાટનો અવાજ આવ્યા પછી બ્લાસ્ટ અને જમીનમાંથી ધુમાડા નીકળ્યા હતા તેવું લોકો કહી રહ્યા છે ત્યારે ખરેખર આ શું છે તે દિશામાં તંત્ર તપાસ કરી રહ્યું છે






Latest News