મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો


SHARE











મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો

મોરબીના જુના અને નવા સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર, અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જુના સાદુંળકા ગામના સરપંચ તેમજ રાજપૂત કરણી સેનાએ તેની સામે વાંધો લીધો છે અને સરપંચ તેમજ ગામના લોકોની જાણ બહાર આ કામગીરી કરવામાં આવી છે જેથી કરીને આ અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની માહિતી આપતા સાદુળકાના સરપંચ રાજભા ઝાલા અને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, જુના અને નવા સાદુળકાના રેવન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર અને અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવેલ છે તથા સર્વ નંબરોની વહેંચણી કરવામાં આવેલ છે જેમાં સાદુળકા ગામને માત્ર ૧૫૨થી ૧૯૫ સર્વે નંબર મળેલ છે. જે અયોગ્ય છે કેમ કે, અગાઉ પ્રાંત અધિકારી દ્વારા મિટિંગ કરવામાં આવી હતી તેમાં કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લેવામાં આવેલ નથી અને જુના સાદુળકા ગામની જાણ બહાર અને ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર આ કામ કરવામાં આવ્યું છે જેથી તેના વાંધાને ધ્યાને લઈને તેમની માંગણીને સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News