મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ દાદાની જન્મ જયંતીની પૂર્વે રાસ ગરબા યોજાયા: સાંજએ ભવ્ય શોભાયાત્રા નીકળશે


SHARE







મોરબી પરશુરામ દાદાની જન્મ જયંતીની પૂર્વે રાસ ગરબા યોજાયા: સાંજએ ભવ્ય શોભાયાત્રા નીકળશે

મોરબીમાં ગઇકાલે પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે ભૂદેવો માટે રાસ ગરબનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, કમલભાઈ દવે, ધ્વનિતભાઈ તેમજ પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યા, પાલિકાના માજી સભ્ય પ્રવિણાબેન જિતેન્દ્રભાઈ ત્રિવેદી, સ્વયંભૂ જડેશ્વર મહાદેવા મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદી, પત્રકાર એશો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ કપિલભાઈ દવે, અમિતભાઈ પંડ્યા, તેમજ પત્રકાર અતુલભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી સહિતના હાજર રહ્યા હતા અને આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિતે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારોને સહપરિવાર જોડાવા માટે આગેવાનોએ આહ્વાન કર્યું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી આ વખતે પણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે ભગવાનપરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે વાઘપરા- ૧૪ માં આવેલા ગાયત્રી મંદિર ખાતેથી શરૂ કરવામાં આવશે અને નવલખી રોડ પર આવેલ ભગવાન પરશુરામના મંદિર પરશુરામ ધામ ખાતે પૂરી કરવામાં આવશે ત્યાર બાદ પરશુરામ ધામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે તેવી પ્રમુખ રોહિતભાઈ પંડયાએ જણાવ્યુ છે






Latest News