મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

લખનૌના યોજાનર સંમેલનમાં મોરબીના વિપુલભાઈ શુક્લ પંચાંગ-તિથિ પર્વ મુદે આપશે માર્ગદર્શન


SHARE







લખનૌના યોજાનર સંમેલનમાં મોરબીના વિપુલભાઈ શુક્લ પંચાંગ-તિથિ પર્વ મુદે આપશે માર્ગદર્શન

ઉત્તર પ્રદેશના લખનૌમાં આગામી તા.૨૩  એપ્રિલના રોજ રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રૂદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી જાણીતા જ્યોતિષ સહિતના હાજર રહેવાના છે ત્યારે મોરબીના રહેતા શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લ (એમ.એ. સંસ્કૃત આચાર્ય) ને તે કાર્યક્રમમાં અતિથિ તરીકે હાજરી આપશે અને વિશેષ મુદાઓને લઈને માર્ગદર્શન પણ આપશે

મોરબીમાં રહેતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાનરા સંમેલનમાં વૈદિક પંચાંગોનું એકીકરણ તથા તિથિ પર્વ સહિતના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરશે. અને આ જ્યોતિષ સંમેલનમાં બ્રિજેશ પાઠક (ઉપમુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ), કૌશલ કિશોર (કેન્દ્રીય મંત્રી), વિજયકુમાર (કુલપતિ, મહર્ષિ પાણીની સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈન), મહા મંડલેશ્વર મદન વ્યાશજી ઉજ્જૈન, ડો. અજય ભાંભીજી દિલ્હી, ડો, પંકજકુમાર ત્રિવેદી લખનઉ વિગેરે વિદ્વાન આચાર્યો હાજર રહેશે ત્યારે મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લને પણ ત્યાં હાજર રહેવાનો અને પોતાની વાત રાખવા માટેનો મોકો આપવામાં આવ્યો છે તે મોરબી જિલ્લા માટે ગર્વની વાત છે






Latest News