મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ઓગળી ગયેલ ગુલ્ફી આપનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમાર્યો


SHARE











માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ઓગળી ગયેલ ગુલ્ફી આપનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમાર્યો

માળીયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં આવેલ દુકાને ગુલ્ફી લેવા ગયેલા બાળકને ઓગળી ગયેલ ગુલ્ફી આપી હતી જેથી તેના કૌટુંબિક દાદા દુકાનદારને તે બાબતે કહેવા માટે ગયા હતા જે તેને સારું નહીં લાગતા દુકાનદાર અને તેના ભાઈઓએ ફરિયાદી તેમજ તેના દાદા સહિત ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે આવેલ શક્તિ પ્લોટમાં રહેતા અનિલભાઈ જાદવજીભાઈ અગેચાણીયા જાતે કોળી (૨૮) એ અરવિંદભાઈ નારણભાઈ, ઓધવજીભાઈ નારણભાઈ અને મુન્નાભાઈ નારણભાઈ રહે. બધા જૂના ઘાટીલા શક્તિ પ્લોટ માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કૌટુંબિક ભાઈનો દીકરો અરવિંદભાઈની દુકાને ગુલ્ફી લેવા માટે ગયો હતો ત્યારે અરવિંદભાઈનો દીકરો ત્યાં બેઠો હોય તેને ઓગળી ગયેલ ગુલ્ફી તેને આપી હતી જેથી ફરિયાદીના કૌટુંબિક દાદા ચંદુભાઈ ગાંડુભાઈ તે બાબતે આરોપી અરવિંદભાઈને સમજાવવા માટે ગયા હતા ત્યારે દુકાનદાર અને તેના ભાઈ ઓધવજીભાઈ તથા મુન્નાભાઈએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને બોલાચાલી કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલ અરવિંદભાઈએ તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને હાથમાં અને કેડના ભાગે માર માર્યો હતો ત્યારે છનાભાઈ વચ્ચે છોડાવવા માટે પડતા તેને ઓધવજીભાઈએ લોખંડના પાઇપ વડે જમણા પગમાં માર મારીને ઇજા કરી હતી અને મુન્નાભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ભોગ બનેલા અનિલભાઈ અગેચાણિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી અરવિંદભાઈ, ઓધવજીભાઈ અને મુન્નાભાઈની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News