મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ હક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે


SHARE







મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ હક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર મોરબી ચૂંટણી શાખા દ્વારા મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે.


આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ સંકલિત મતદારયાદીના મુસદ્દા અન્વયે તારીખ ૨૦-૦૪-૨૦૨૩ સુધી હક-દાવા તથા વાંધા અરજી રજૂ કરી શકાશે. આ હક-દાવા તથા વાંધા અરજીનો તારીખ ૨૮-૦૪-૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે. મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની કામગીરી તેમજ ડેટાબેઝને અદ્યતન કરવાની અને પૂરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તારીખ ૦૪-૦૫-૨૦૨૩ સુધીમાં કરવામાં આવનાર છે. જ્યારે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તારીખ ૧૦-૦૫-૨૦૨૩ ના કરવામાં આવશે. ઉપરાંત ખાસ ઝુંબેશની તારીખો ECI દ્વારા અલગથી જાહેર કરવામાં આવનાર છે.

આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે જે લોકોને બુથ પર જવું ન હોય તે લોકો NVSP અને VHA નો ઉપયોગ કરી પોતાના હક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઈ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર ફોન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. તંદુરસ્ત મતદારયાદી થાય તૈયાર થાય તે માટે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.






Latest News