હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખભાઇ પટેલે ધ્યાન આપ્યું નથી: જામીન અરજી નામંજૂર


SHARE











મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખભાઇ પટેલે ધ્યાન આપ્યું નથી: જામીન અરજી નામંજૂર

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલના રેગ્યુલર જામીન માટેની મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી જેમાં સરકારી વકીલ કરવામાં આવેલી દલીલો તેમજ ભોગ બનેલા પરિવારના વકીલ દ્વારા લેવામાં આવેલા વાંધાઓને ધ્યાને લઈને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જામીન અરજીને રદ કરવામાં આવી છે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું છે તેની સામે અડધી રકમ ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં જમા પણ કરી દેવામાં આવી છે ત્યારે ચાર્જશીટ પછી મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જમીન અરજી મૂકવામાં આવી હતી જેમાં જયસુખભાઇ પટેલના વકીલે કરેલી દલીલની સામે સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા દલીલ કરવામાં આવી હતી અને ભોગ બનેલા પરિવારના વકીલ દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી જેને ધ્યાને રાખીને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જયસુખભાઇ પટેલની જામીન અરજીને રદ કરવામાં આવી છે

કોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ઝૂલતા પુલનું રિનોવેશન કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હોય તો દુર્ઘટના બની શકે છે તેવું જાણતા હોવા છતાં પણ જયસુખભાઇ પટેલ દ્વારા રિનોવેશનના કામમાં ધ્યાન આપવામાં આવ્યું નથી અને જયસુખભાઇ પટેલની સૂચના મુજબ જ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે તેની જામીન અરજીને મંજૂર કરી શકાય નહીં તે માટે આ રેગ્યુલર જામીન માટેની અરજીને નામંજૂર કરવામાં આવી છે તેવું ભોગ બનેલા પરિવારના વકીલ એન. આર. જાડેજા અને દિલીપભાઇ આગેચાણીયાએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News