મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખભાઇ પટેલે ધ્યાન આપ્યું નથી: જામીન અરજી નામંજૂર


SHARE







મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખભાઇ પટેલે ધ્યાન આપ્યું નથી: જામીન અરજી નામંજૂર

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલના રેગ્યુલર જામીન માટેની મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી જેમાં સરકારી વકીલ કરવામાં આવેલી દલીલો તેમજ ભોગ બનેલા પરિવારના વકીલ દ્વારા લેવામાં આવેલા વાંધાઓને ધ્યાને લઈને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જામીન અરજીને રદ કરવામાં આવી છે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું છે તેની સામે અડધી રકમ ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં જમા પણ કરી દેવામાં આવી છે ત્યારે ચાર્જશીટ પછી મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જમીન અરજી મૂકવામાં આવી હતી જેમાં જયસુખભાઇ પટેલના વકીલે કરેલી દલીલની સામે સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા દલીલ કરવામાં આવી હતી અને ભોગ બનેલા પરિવારના વકીલ દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી જેને ધ્યાને રાખીને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જયસુખભાઇ પટેલની જામીન અરજીને રદ કરવામાં આવી છે

કોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ઝૂલતા પુલનું રિનોવેશન કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હોય તો દુર્ઘટના બની શકે છે તેવું જાણતા હોવા છતાં પણ જયસુખભાઇ પટેલ દ્વારા રિનોવેશનના કામમાં ધ્યાન આપવામાં આવ્યું નથી અને જયસુખભાઇ પટેલની સૂચના મુજબ જ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે તેની જામીન અરજીને મંજૂર કરી શકાય નહીં તે માટે આ રેગ્યુલર જામીન માટેની અરજીને નામંજૂર કરવામાં આવી છે તેવું ભોગ બનેલા પરિવારના વકીલ એન. આર. જાડેજા અને દિલીપભાઇ આગેચાણીયાએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News