મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન


SHARE











મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન

આમરણ ગામે હાલમાં ભાગવત સપ્તાહનું આયોજન કાસુન્દ્રા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.કોઈપણ સપ્તાહ દરમ્યાન સામાન્ય રીતે રાત્રિના સપ્તાહને અનુરૂપ ભજન કે નાટક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતુ હોય છે.જ્યારે આમરણ ગામે કથાના આયોજકો દ્વારા પર્યાવરણલક્ષી પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે દાજીબાપુ ગામ માથક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના જાત અનુભવો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા જયારે વી.ડી.બાલા નિવૃત્ત ફોરેસ્ટ અધિકારીએ પર્યાવરણ બચાવો અભિયાન વિષે ખેડૂતોમાં જાગૃતતા કેળવાય અને વૃક્ષો વધુ વાવેતર થાય તે અંગે ચર્ચા કરી હતી.કાલરીયાભાઈએ ખેતીમાં ગાયનું મહત્વ વિશે માહિતી આપી હતી.જ્યારે જીલેશભાઈએ ખેડૂત સંગઠન મજબૂત થાય અને તેના પ્રશ્નોની યોગ્ય રજૂઆત થાય તે અંગે ભારપૂર્વક ખેડૂતોને આગળ આવવા આહ્વાન કર્યું હતુ.ડી.એ.સરડવા (વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) એ ખેતીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અને જમીન પૃથક્કરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં આમરણ ગામના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News