મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક બાઇકમાં જતા વૃદ્ધને ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા સારવારમાં
મોરબીના પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું કલેકટરના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું કલેકટરના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
મોરબીના નવલખી રીડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેનું ખાતમુહૂર્ત મોરબીના જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ધીમંત વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું ગઇકાલે સાંજે મોરબીના પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે મોરબી મામલતદાર નિખિલભાઇ મહેતા, રાજકોટ બ્રહ્મ અગ્રણી જીતુભાઈ મહેતા, કચ્છ બ્રહ્મગ્રણી એડવોકેટ એચ.એલ. અજાણી, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, પરશુરામ ધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજના અગ્રણી અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, અતુલભાઇ જોશી સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદીએ કરેલું હતું