મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત


SHARE











મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત

મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન બંનેના મોત નીપજયા છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ કોજી સિરામિકના લેબર ક્વાર્ટરમાં યુવક અને યુવતીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન પ્રથમ યુવકનું મોત નીપજયું હતું અને ત્યારબાદ યુવતીનું મોત નીપજયું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે કોજી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ ચોટીલાના રહેવાસી વિનોદભાઈ મોહનભાઈ બથવાર (૧૯) અને મૂળ એમપીની રહેવાસી પિંકી (૧૮) બંનેએ સજોડે લેબર ક્વાર્ટરમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રથમ વિનોદભાઈ બથવારનું મોત નીપજયું હતું અને ત્યારબાદ સારવાર દરમિયાન મોડી રાત્રે પિંકીનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે






Latest News