મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત


SHARE







મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત

મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન બંનેના મોત નીપજયા છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ કોજી સિરામિકના લેબર ક્વાર્ટરમાં યુવક અને યુવતીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન પ્રથમ યુવકનું મોત નીપજયું હતું અને ત્યારબાદ યુવતીનું મોત નીપજયું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે કોજી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ ચોટીલાના રહેવાસી વિનોદભાઈ મોહનભાઈ બથવાર (૧૯) અને મૂળ એમપીની રહેવાસી પિંકી (૧૮) બંનેએ સજોડે લેબર ક્વાર્ટરમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રથમ વિનોદભાઈ બથવારનું મોત નીપજયું હતું અને ત્યારબાદ સારવાર દરમિયાન મોડી રાત્રે પિંકીનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે






Latest News