મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના કુલીનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું


મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૧ માં રહેતા ઈકબાલભાઈ જામની દીકરી સાયનાબેન (૧૯) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક તેના પરિવારજનો મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા જો કે, ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

હાર્ટ એટેકથી મોત

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આવેલ સ્ટાર પોલિપેક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં અને ત્યાં ઓરડીમાં રહેતા ખૂંદુ મહાનંદુ પાટીલ (૩૭) નામનો યુવાન તેની ઓરડીમાં હતો ત્યારે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં તેને હાર્ટ અટેક આવતા તેને તાત્કાલિક કારખાનેદાર નિરવભાઈ રમેશભાઈ ભાગીયા ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News