મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના કુલીનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું


મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૧ માં રહેતા ઈકબાલભાઈ જામની દીકરી સાયનાબેન (૧૯) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક તેના પરિવારજનો મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા જો કે, ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

હાર્ટ એટેકથી મોત

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આવેલ સ્ટાર પોલિપેક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં અને ત્યાં ઓરડીમાં રહેતા ખૂંદુ મહાનંદુ પાટીલ (૩૭) નામનો યુવાન તેની ઓરડીમાં હતો ત્યારે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં તેને હાર્ટ અટેક આવતા તેને તાત્કાલિક કારખાનેદાર નિરવભાઈ રમેશભાઈ ભાગીયા ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News