મોરબી નજીકના ઘુંટુ ગામે દારૂનું વેચાણ-અડ્ડા બંધ ન થાય તો હવે જનતારેડ
મોરબીની માધાપરવાડી શાળામાં ઘડિયાળ અર્પણ કરતો નકુમ પરિવાર
SHARE
મોરબીની માધાપરવાડી શાળામાં ઘડિયાળ અર્પણ કરતો નકુમ પરિવાર
મોરબીમાં લોકો સ્વજનોના દુઃખદ અવસાન નિમિતે એમના આત્માના કલ્યાણાર્થે જરૂરીયાત મંદોને મદદરૂપ થવું, ગાયોને નિરણ નાખવી, પક્ષીઓને ચણ નાખવી, નાના બાળકોને ભોજન આપવું, વગેરે જેવી દાનની પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે મોરબીના માધાપરવાળી વિસ્તારના નકુમ પરિવારમાં નીતાબેન ભરતભાઈ નકુમનું દુઃખદ અવસાન થતાં એમની સ્મૃતિમાં બાબુલાલ નકુમ, મલાભાઈ નકુમ, દિનેશભાઈ નકુમ, હાર્દિકભાઈ નકુમ, ભાવિનભાઈ નકુમ, પ્રભુભાઈ કંઝરિયા સર્વે પરિવારજનોએ માધાપરવાડી કુમાર અને કન્યા બંને શાળામાં દરેક રૂમ, લોબી માટે પચીસ જેટલી દિવાલ ઘડિયાળ અર્પણ કરેલ છે