મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષામાં બેઠલ યુવાનના ૫૬,૭૦૦ ની ચોરી કરવાના ગુનામાં બે આરોપી પકડાયા


SHARE







વાંકાનેરમાં રિક્ષામાં બેઠલ યુવાનના ૫૬,૭૦૦ ની ચોરી કરવાના ગુનામાં બે આરોપી પકડાયા

વાંકાનેરના માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા માટે ખેતમજૂર આવ્યો હતો અને કપાસના વેચાણ બાદ તેને મળેલ ૫૬૭૦૦ રૂપિયા પોતાના ખિસ્સામાં રાખીને તે સીએનજી રીક્ષામાં પાછળની સીટમાં બેઠો હતો ત્યારે તે રિક્ષામાં પહેલાથી જ એક શખ્સ મુસાફરની જેમ બેઠો હતો તે શખ્સ દ્વારા તેના ખિસ્સામાંથી કોઈ પણ સમયે રોકડા રૂપિયાની ચોરી કરી લીધી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે શખ્સની ચોરી ગયેલ રોકડા રૂપિયા તેમજ રિક્ષા સહિતનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામે પૂથુભા ઝાલાની વાડીએ ઓરડીમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો દીતેલીયાભાઈ ઉર્ફે રમેશ ભલજીભાઈ રાઠવા (૪૦) નામના યુવાને કાળા કલરની સીએનજી રીક્ષા જેનો આખો નંબર તેને યાદ ન હતા તે રિક્ષામાં મુસાફરની જેમ પાછળ બેઠેલ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસ વેચાણ કરવાથી ૫૬,૭૦૦ મળ્યા હતા જે પોતાના ખિસ્સામાં રાખીને તે રીક્ષામાં બેસીને જતાં હતા ત્યારે રિક્ષામાં પાછળની સીટમાં બેઠેલ અજાણ્યા શખ્સે નજર ચૂકવીને તેના ખિસ્સામાં રોકડા ૫૬૭૦૦ ની ચોરી કરેલ હતી જે ભોગ બનેલ યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનાનો ભેદ ઉલેકવા માટે પીઆઇ કે.એમ છાસીયાની સૂચના મુજબ કામ કરવામાં આવી રહ્યું હતું તેવામાં હરપાલસિંહ પરમાર અને કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે કુવાડવા તરફથી વાંકાનેર આવી રહેલ રિક્ષાને રોકીને પોલીસે તેમાં બેઠેલા બંને શખ્સની પૂછપરછ કરી હતી ત્યારે તેને ખેતમજૂર પાસેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે અંકીતભાઈ ઉર્ફે કાંધલ પ્રવિણભાઈ પરમાર રહે. હુડકો ચોકડી, રણુજા મંદીરની સામે રાજકોટ અને અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા રહે. નગાગામ આણંદપર, મામાવાડી સાત હનુમાન મંદીર પાસે રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને ચોરી કરીને મેળવેલ ૫૬૭૦૦ રોકડા અને રિક્ષા જીજે ૩ એડબલ્યુ ૫૯૮૫ જેની કિંમત ૫૦ હજારનો મુદામાલ કબ્જે કરેલ છે અને બંને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News