તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ !: મોરબીના બે શખ્સની ધરપકડ


SHARE











વાંકાનેર તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ !: મોરબીના બે શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકામાં તસ્કરો દ્વારા સોના ચાંદીના દાગીના, ખાદ્ય સામગ્રી, વાહનો વગેરેની ચોરી તો કરવામાં આવતી જ હોય છે દરમિયાન હાલમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી વીજ કંપનીના અધિકારી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામની સીમમાં સરપંચ અબુજીભાઈ વલીભાઈ સેરસિયાની વાડીમાં આવેલ ૧૦ કે.વી.એ. વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે જે ૬૦ હજાર રૂપિયાની કિંમતના વીજ ટ્રાન્સફોર્મરને ચોરી કરવાના ઇરાદે વીજપોલ ઉપરથી નીચે ઉતારી લેવામાં આવ્યું હતું અને ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં વીજ કંપનીના અધિકારી હિતુલકુમાર હરજીવનભાઈ પટેલ દ્વારા હુસેનભાઈ બચુભાઈ સુમરા તથા અલ્તાફશા ગુલાબશા શાહમદાર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ બનાવમાં હુશેનભાઇ બચુભાઇ સુમરા જાતે સંધી (૩૦) રહે. જોન્સનગર લાતીપ્લોટ મોરબી તથા અલ્તાફશા ગુલાબશા શાહમદાર જાતે ફકીર (૨૧) રહે. હાલ લીલાપર રોડ નીલકમળ સોસાયટી પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માત કરનાર ડ્રાઇવર-કલીનરને માર પડ્યો

મોરબીના પંચાસર ચોકડી પાસે ટ્રક ચાલકે વાહન અકસ્માત સર્જયો હતો જેથી ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને લોકોના ટોળા દ્વારા ટ્રકના ચાલક મોહનરામ મોટારામ (૩૨) હાલ રહે.સામખીયાળી કચ્છ મૂળ રાજસ્થાન તેમજ ક્લીનર અનિલ રૂપારામ જાટ (૨૬) રહે.રાજસ્થાન વાળાઓને ઈજા પહોંચી હોય બંનેને ૧૦૮ વડે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.






Latest News