તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક થયેલ યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીના મકનસર નજીક થયેલ યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકાનાં મકનસર ગામ આવેલ પોલીસ હેડકવાર્ટરમાં યુવાનને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલ યુવાનનું મોત નીપજયું હતું આ ચકચારી કેસના બધા આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૯માં હત્યાની ફરતીયદ નોંધાઈ હતી જેમાં મરણજનાર આરોપી ચંપાબેનના દીકરાના મોબાઈલની ચોરી કરેલ છે અને તે મોબાઈલ તેની પાસે હોવાનું તે જાણતા હતા અને મરણજનારની ઓરડીએ ગયા હતા ત્યારે ચોરીમાં ગયેલ મોબાઈલ મળી આવતા મરણજનારને કારખાનાની બહાર આવેલ દુકાન પાસે આરોપીઓ બાબુભાઈ તથા ચંપાબેન તથા તેનો દીકરા અજય દ્વારા ગેરકાયદેસર મંડળી રચી મોબાઈલ કેમ ચોરેલ તેમ કહી પ્લાસ્ટીકના પાઈપ વડે માર માર્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ આરોપી કિશોરભાઈને બોલાવતા બાઈકમાં બેસાડી તેને લઇ ગયા હતા અને ચાલુ બાઇકમાંથી ઉતરી ભાગવા જતા તેને વધુ માર મારતા તે યુવાનનું મોત થયું હતું

જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપીઓ ખીમાભાઈ જેરામભાઈ કુણપરા, અરવિંદ જેસિંગભાઈ ઉડેચા, ચંપાબેન દિનેશભાઈ રીબડીયા, નવઘણ કાળુભાઈ રીબડીયા, બાબુ ઝીણા રીબડીયા, ધીરૂ કુકા રીબડીયા, બેચર કુકા રીબડીયાની ધરપકડ કરી હતી જે કેસ મોરબી ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપી પૈકી સાત આરોપીઓ તરફે મોરબીના વકીલ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા અને તેને કોર્ટમાં દલીલ કરી હતી તેને ધ્યાને લઈને જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધનો કેસ શંકા રહિત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય તેવી દલીલ કરી હતી જેથી કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો

એટ્રોસીટીના કેસમાં જામીન મુક્ત

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની માતાએ આરોપીના પુત્ર ઉપર એટ્રોસીટીની ફરીયાદ કરેલ હતી જે ફરીયાદ પાછી ખેંચી લેવા માટે આરોપીઓએ એક સંપ થઈ સીવીલ હોસ્પીટલે ગયા હતા અને આરોપીઓએ ફરીયાદીને તથા તેની માતાને જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા અને ફરીયાદ પરત ખેંચી લેવા કહ્યું હતું અને ફરિયાદ પછી નહી ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરીયાદના કામેના આરોપી હેમંતભાઈ દેવજીભાઈ આદ્રોજાની ધરપકડ થયેલ હતી અને મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયાએ કોર્ટમાં જામીન મેળવવા જામીન અરજી કરી હતી ત્યારે બન્ને પક્ષની દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષની દલીલ માન્ય રાખી કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપ અગેચાણીયા, યુવાન વકીલ જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રિવે ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.






Latest News