તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી મહિલાને મકાન રીપેર કરી આપવા માટે બિલ્ડરને હુકમ


SHARE











મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી મહિલાને મકાન રીપેર કરી આપવા માટે બિલ્ડરને હુકમ

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા હરિઓમ પાર્કમાં રહેતા અનસોયાબેન પાઠકે મોરબીના રહીશ લાલજીભાઇ દેવકરણભાઇ ગામી પાસેથી મકાન લીધું હતું જો કે, ગ્રાહકના કહેવા મુજબ મકાનનું બાંધકામ નબળુ હતુ અને પ્લાસ્ટર તથા કલર ઉખડી ગયા હતા જેથી મકાન રીપેર કરી આપવામાં આવે તેવી તેની માંગ હતી જો કે, મકાન માલીકે કોઇ દાદ આપેલ ન હતી

જેથી મહિલાએ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને કોન્ટ્રાકટર કમ મકાન માલીક લાલજીભાઇ ગામી સામે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અદાલતે અનસુયાબેન પાઠકને બાંધકામમાં થયેલ નુકશાન સંતોષકારક રીપેરીંગ કરી આપવું અને અનસોયાબેનને ૧૦૦૦ ખર્ચ ચુકવવાનો હુકમ કરેલ છે હાલમાં મોરબીમાં મકાન બનાવીને ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ બનાવી આપે છે આ એક જાતની છેતરપીંડી ગણવામાં આવે છે. અને ગ્રાહકે મકાન લેતા પહેલા તેના તમામ કાગળો જોઇને તપાસી લેવા જરૂરી છે અને મકાનમાં જે જાતની સુવિધા તેના પેમ્પ્લેટમાં લખેલ છે તે પ્રમાણે છે કે નહીં તેની તપાસ કરવી જોઇએ જમીન કે મકાન લેતા પહેલા ગ્રાહકે વિચારવું જોઇએ અને જણાવવું જોઇએ કોઇપણ ગ્રાહક સાથે છેતરપીંડી થઇ હોય કે અન્યાય થયો હોય તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરી શકે છે તેવું તેમણે જણાવ્યુ છે






Latest News