મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની હોટલમાં રાજકોટના યુવાને આર્થિક સંક્રમણના લીધે અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીની હોટલમાં રાજકોટના યુવાને આર્થિક સંક્રમણના લીધે અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલી હોટલના રૂમમાં કેબલ વાયર વડે રાજકોટના ભરવાડ યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હોય બનાવ અંગે મોરબી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ વ્રજ હોટલના રૂમ નંબર ૧૧૪ માં રોકાયેલ સતીશ મચ્છાભાઈ સિંધવ જાતે ભરવાડ (ઉમર ૨૯) રહે.રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર શેરી નંબર-૩ વાળાએ આર્થિક સંકળામણના લીધે મોરબીની વ્રજ હોટલના રૂમને અંદરથી બંધ કરીને કેબલ વાયર વડે છતના પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને સતીષભાઇ ભરવાડ નામના યુવાનનું મોત નિપજ્યું હતું.બનાવ સંદર્ભે મૃતકના મોટા ભાઈ કાળુભાઈ મચ્છાભાઈ સિંધવ જાતે ભરવાડ (ઉમર ૩૮) ધંધો ચાની હોટલ રહે.ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર શેરી નંબર-૩ રાજકોટ વાળાએ પોલીસ મથકે જાહેરાત કરી હોય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલની પાસે રહેતો વિનોદ દેવશીભાઈ ગડારા નામનો ૨૯ વર્ષનો યુવાન બાઈક લઈને લીલાપર ડેમ બાજુથી જતો હતો ત્યારે વળાંક પાસે અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટ લેતા ઇજા થવાથી વિનોદ ગડારાને સારવારમાં ખસેડાયો હતો.જયારે મોરબી તાલુકાના જોધપર (નદી) ગામનો રહેવાસી પ્રદીપ વિનોદભાઈ સુરેલા નામનો ૨૬ વર્ષનો યુવાન તા.૧૮ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પટેલ છાત્રાલય પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રફાળેશ્વર રોડ ઉપર પટેલ છાત્રાલય નજીક તેનું બાઈક સ્લીપ થઇ જતા પગના ભાગે ઇજાઓ થવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કુંતાસી ગામના જયપાલ દેવાયતભાઈ જીલરીયા નામના ૧૭ વર્ષના સગીરને બરવાળા ગામે સરસ્વતી ભગવતી વિદ્યાલય નજીક તા.૧૭ ના રોજ મારામારીના બનાવમાં ઇજા થતા તેને અહિંની સિવિલે સારવાર માટે લવાયો હતો જ્યાંથી તાલુકા પોલીસને જાણ થતા હેડ કોન્સ્ટેબલ જે.પી.વસીયાણી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News