મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા એકને ઇજા


SHARE











મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા એકને ઇજા

મોરબીના રાજકોટ કંડલા બાયપાસ ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીક આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ જતો ટ્રક આગળના ટ્રક સાથે અથડાયો હતો જે બનાવવામાં એકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.

મોરબીના કંડલા-રાજકોટ બાયપાસ ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીક ટ્રક સાથે ટ્રક અથડાવાનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક નંબર જીજે ૩ બીવાય ૮૮૨૪ લઈને ભચાઉથી મોરબી બાજુ આવી રહેલ રૂગનાથભાઈ પુંજાભાઈ નીનામા (ઉમર ૩૨) રહે. સીમતીયા ગામ સંતરામપુર મહીસાગર વાળાને પગના ભાગે ઇજાઓ થતાં તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, રૂગનાથભાઈ નીનામા તેમનો ટ્રક લઈને ભચાઉથી મોરબી આવતા હતા ત્યારે ભરતનગર ગામ નજીક આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા તેમનો ટ્રક પાછળ અથડાયો હતો જે બનાવમાં તેમને પગના ભાગે ઇજાઓ થતા તેઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

રીક્ષા સાથે ખુંટિયો અથડાતા એકને ઈજા

મોરબીના રહેવાસી અરવિંદભાઈ મોતીભાઈ ગડેશીયા નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીના નાગડાવાસ ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા શહેરની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, અરવિંદભાઈ ગડેશીયા રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે નાગડાવાસ ગામના પાટીયા પાસે તેમની રીક્ષા સાથે ખુંટીયો અથડાતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી કરીને ડાબા પગના ભાગે ઇજાઓ થવાથી અરવિંદભાઈ મોતીભાઈ ગડેશિયા નામના યુવાનને સારવારમાં લઈ જવાયો હતો.

દવા પી જતા સગીરા સારવારમાં

મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે સીમ વિસ્તારમાં આવેલ લાલભાઇની વાડીએ રહીને મજૂરી કામ કરતા મજૂર પરિવારની જોયોત્સનાબેન નવલભાઇ ડામોર નામની ૧૭ વર્ષની સગીરા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેણીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરી બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News