મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું


SHARE











મોરબીના ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત, મોરબી જિલ્લા શિક્ષણ સમિતી અને   બી.આર.સી. મોરબી આયોજિત જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન તા.૪ થી ત્રિમંદિર નવલખી રોડ ખાતે ખુલ્લું મુકાયું છે આ પ્રદર્શનનો  મુખ્ય વિષય ટેક્નોલોજી અને રમકડાં છે જેમાં ડાયેટ રાજકોટના પ્રાચાર્ય ડૉ.સંજયભાઈ મહેતા, મોરબી જિલ્લા  શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા, ડેપ્યુટી ડીપીસી પ્રવિણભાઈ ભોરણિયા હાજર રહ્યા હતા મોરબીના બી.આર.સી. કૉ. ચિરાગભાઈ આદ્રોજાએ સ્વાગત પ્રવચન અને ડાયેટ રાજકોટના વિજ્ઞાન સલાહકાર દીપાલીબેન વડગામાએ પ્રદર્શનની રૂપરેખા આપી હતી આ પ્રદર્શનમાં તાલુકા કક્ષાએથી ઉત્તમ પાંચ પાંચ કૃતિઓ મળી કુલ ૨૫ શાળાઓના ૫૦  બાળકોની સાથે ૨૫ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો. અને જીતેન્દ્રભાઈ પાંચોટિયા તેમજ રામજીભાઈ જાકાસણિયાના અનુક્રમે 'શબ્દચિત્ર'  અને 'વિજ્ઞાન પ્રયોગો' ના પ્રદર્શનો ગોઠવાયા હતા આ તકે ટીપીઇઓ હળવદ દીપાબેન બોડાટીપીઇઓ વાંકાનેર મંગુભાઈ પટેલ, ટીપીઇઓ માળિયા ડૉ. શર્મિલાબેન હુંમલ, બી.ર.સી.કો.ઑ.  ટંકારા કલ્પેશભાઈ ફેફર, બી.ર.સી.કો.ઑ. હળવદ મિલનભાઈ પટેલ, બી.ર.સી.કો.ઑ. વાંકાનેર મયુરસિંહ પરમાર, બી.ર.સી.કો.ઑ. માળિયા મહેન્દ્રસિંહ રાઠોડે તથા મોરબીના તમામ સીઆરસીઓએ હાજરી આપી હતી. અને આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી સી.આર.સી. કૉઓર્ડિનેટર ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રદર્શન જોવા બી.ર.સી.કો.ઑ. ચિરાગભાઈએ અપીલ કરી છે.






Latest News