મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની આલાપ સોસાયટીમાં રસ્તા ઉપરથી દબાણ હટાવવા ૧૦ દિવસની મુદત: કમિટીનો નિર્ણય


SHARE







મોરબીની આલાપ સોસાયટીમાં રસ્તા ઉપરથી દબાણ હટાવવા ૧૦ દિવસની મુદત: કમિટીનો નિર્ણય

મોરબીની આલાપ સોસાયટીના ૮૦ ફૂટના રોડ પર જે એક સાઈડ રસ્તો ચાલુ છે અને તે રસ્તા પર રહેતા લોકોએ તા.૨૮/૬/૨૨ ના રોજ રોડ સાઈડમાં વર્ષોથી કરેલ દબાણ દૂર કરવા માટે પત્ર લખીને સોસાયટીની કમિટીને દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને દબાણ કરનારાઓને તેનું દબાણ દૂર કરવા માટેની જાણ કરવામાં આવી હતી તો પણ તે દબાણે દૂર કરવામાં આવ્યું નથી જેથી કરીને ગઇકાલે સોસાયટીના લોકો એકત્રિત થયા હતા અને દબાણ કરનારાઓને ૧૦ દિવસની મુદત આપવાનું કમિટીએ નક્કી કરેલ છે

છેલ્લા ૬ માસથી દબાણ કરેલ રસ્તા પર રહેતા લોકો સાથે વ્યક્તિગત ચર્ચા કરીને આ પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયાસ મોરબીની આલાપ સોસાયટીની કમિટી દ્વારા કરેલ હતા પરંતુ અમુક વ્યક્તિઓ દબાણ હટાવતા ન હતા જેથી કરીને કમિટીના લોકો સહિતના લોકો રાતે સોસાયટીમાં એકત્રિત થયા હતા અને લોકો માટે રોડ ખુલ્લો કરવાની ચર્ચા કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ કમિટીના સભ્યો સહિતના લોકો ત્યાં આવ્યા હતા ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જે લોકોએ દબાણ કર્યું છે તેને હજુ વધુ ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આગામી ૧૫ તારીખ સુધીમાં તે લોકો જો પોતાના દબાનોને જાતે દૂર નહીં કરે તો કમિટી દ્વારા રસ્તાને ખુલ્લો કરવા માટે બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે






Latest News