મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની આલાપ સોસાયટીમાં રસ્તા ઉપરથી દબાણ હટાવવા ૧૦ દિવસની મુદત: કમિટીનો નિર્ણય


SHARE











મોરબીની આલાપ સોસાયટીમાં રસ્તા ઉપરથી દબાણ હટાવવા ૧૦ દિવસની મુદત: કમિટીનો નિર્ણય

મોરબીની આલાપ સોસાયટીના ૮૦ ફૂટના રોડ પર જે એક સાઈડ રસ્તો ચાલુ છે અને તે રસ્તા પર રહેતા લોકોએ તા.૨૮/૬/૨૨ ના રોજ રોડ સાઈડમાં વર્ષોથી કરેલ દબાણ દૂર કરવા માટે પત્ર લખીને સોસાયટીની કમિટીને દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને દબાણ કરનારાઓને તેનું દબાણ દૂર કરવા માટેની જાણ કરવામાં આવી હતી તો પણ તે દબાણે દૂર કરવામાં આવ્યું નથી જેથી કરીને ગઇકાલે સોસાયટીના લોકો એકત્રિત થયા હતા અને દબાણ કરનારાઓને ૧૦ દિવસની મુદત આપવાનું કમિટીએ નક્કી કરેલ છે

છેલ્લા ૬ માસથી દબાણ કરેલ રસ્તા પર રહેતા લોકો સાથે વ્યક્તિગત ચર્ચા કરીને આ પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયાસ મોરબીની આલાપ સોસાયટીની કમિટી દ્વારા કરેલ હતા પરંતુ અમુક વ્યક્તિઓ દબાણ હટાવતા ન હતા જેથી કરીને કમિટીના લોકો સહિતના લોકો રાતે સોસાયટીમાં એકત્રિત થયા હતા અને લોકો માટે રોડ ખુલ્લો કરવાની ચર્ચા કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ કમિટીના સભ્યો સહિતના લોકો ત્યાં આવ્યા હતા ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જે લોકોએ દબાણ કર્યું છે તેને હજુ વધુ ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આગામી ૧૫ તારીખ સુધીમાં તે લોકો જો પોતાના દબાનોને જાતે દૂર નહીં કરે તો કમિટી દ્વારા રસ્તાને ખુલ્લો કરવા માટે બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે






Latest News