મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીસરા ગામે નર્સરી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા


SHARE











માળિયા (મી)ના મોટા દહીસરા ગામે નર્સરી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા દહીસરા ગામે નર્સરી નજીક રામદેવપીરનું મંદિર આવેલ છે અને મંદિર પાસે યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવી છે જેથી કરીને આ બનાવ અંગેની હાલમાં મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે જોકે, યુવાનની હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી છે? તે બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળુભાઈ ચાવડા જાતે આહિર (૪૭) ની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી છે અને આ આ બનાવની મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા માળિયા તાલુકા પોલીસ અને જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે દરમ્યાનમાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળૂભાઈ ચાવડા મોટા દહીસરા ગામે આવેલ નર્સરી નજીક રામદેવપીરના મંદિર પાસે હતા ત્યારે ત્યાં તેને તીક્ષણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવેલ છે જોકે, હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી ? તે બાબતની હજુ સુધી કોઈ માહિતી સામે આવેલ નથી અને મૃતક વિનોદભાઈ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેને એક સંતાન હોવાનું સામે આવ્યું છે જોકે માળીયા મિયાણા તાલુકા પોલીસે હત્યાના આ બનાવની ગંભીરતાને સમજીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News