તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ


SHARE











વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ

વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા, દિયર સહિત આઠ સામે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિને આરોપીઓએ ખોટી ચડામણી કરતા તેને ઢીકા પાટુનો મુંઢમાર મારતા હતા અને વધુ કરિયાવર લાવવા માટે કહેતા હતા જેથી મહિલાની ફરિયાદ લઈને જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન્ના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ હાલમાં વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી રીમાબા કરણસિંહ મનુભા જાડેજા જાતે દરબાર (૩૨)એ હાલમાં કરણસિંહ મનુભા જાડેજા(પતિ), મનુભા હેમુભા જાડેજા(સસરા), જનકબા મનુભા હેમુભા જાડેજા(સાસુ), અર્જુનસિંહ મનુભા હેમુભા જાડેજા (દિયર), રહે- બધા મુંગણી આશાપુરા મંદિરની બાજુમાં જીલ્લો જામનગર તથા જયેન્દ્રસિહ મનુભા રાઠોડ (નણંદોયા), મિતલબા જયેન્દ્રસિહ રાઠોડ(નણંદ), પ્રકાશસિંહ મનુભા રાઠોડ(નંદોયા) અને શીતલબા પ્રકાશસિંહ મનુભા રાઠોડ (નણંદ) રહે.-બધા સુત્રાપાડા બસ સ્ટેન્ડની નજીક નવદુર્ગા મંદિરની બાજુની કોલોની જીલ્લો સોમનાથ વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરીયાદીને નાની નાની બાબતે, ધરકામ બાબતે તેમજ પ્રેગ્નેન્સી દરમ્યાન સારવાર નહી કરાવી અને વધારે કરીયાવર લાવવા માટે દબાણ કરી અવાર-નવાર મેણા-ટોણા બોલી ભુંડા બોલી ગાળો આપી હતી અને ફરિયાદીના પતિને અવાર-નવાર ખોટી ચડામણી કરતા ઢીકા પાટુનો મુંઢમાર મારી દુ:ખ ત્રાસ આપી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક)૩૨૩૫૦૪ અને ૧૧૪ મુજ્બ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News