મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની પુલ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી-ડીજીપીને ફટકારી નોટિસ


SHARE







મોરબીની પુલ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી-ડીજીપીને ફટકારી નોટિસ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જે માનવ સર્જિત દુર્ઘટનામાં ઝુલતા પુલ ઉપર ફરવા જનાર ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને આ ઘટના ચાર અઠવાડિયા નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં જેથી કરીને માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ ફટકારી છે અને એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.


અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની ફરીયાદમાં માનવ અધિકાર આયોગે તાબડતોબ કાર્યવાહી કરેલ છે અને મોરબીમાં ગત તા ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેમાં માનવ અધિકાર આયોગને માનવ અધિકાર ભંગની ફરિયાદ મળતા આ ગંભીર ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ લોકોના પરિવારના સભ્યોના માનવ અધિકાર ભંગના બનાવમાં અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની પિટિશન કરી હતી જેના આધારે હાલમાં આયોગે નોટિસ ફટકારી છે અને ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રીપોર્ટ માંગ્યો છે અને કાંતિલાલ પરમાર દ્વારા ઝુલતા પુલનો જેને કોન્ટ્રાકટ લીધો હતો તે ઓરેવા કંપનીના જવાબદાર માલિક અને નગરપાલિકા, જીલ્લા કલેક્ટર સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે અને પ્રત્યેક ભોગ બનનારના વારસદાર આશ્રિતને ૫૦ લાખનું વળતર અને સાચા ગુનેગારો સામે કાયદાકીય પગલા ભરવાની માંગણી કરવામાં આવેલ છે.






Latest News