મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની પુલ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી-ડીજીપીને ફટકારી નોટિસ


SHARE











મોરબીની પુલ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી-ડીજીપીને ફટકારી નોટિસ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જે માનવ સર્જિત દુર્ઘટનામાં ઝુલતા પુલ ઉપર ફરવા જનાર ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને આ ઘટના ચાર અઠવાડિયા નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં જેથી કરીને માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ ફટકારી છે અને એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.


અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની ફરીયાદમાં માનવ અધિકાર આયોગે તાબડતોબ કાર્યવાહી કરેલ છે અને મોરબીમાં ગત તા ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેમાં માનવ અધિકાર આયોગને માનવ અધિકાર ભંગની ફરિયાદ મળતા આ ગંભીર ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ લોકોના પરિવારના સભ્યોના માનવ અધિકાર ભંગના બનાવમાં અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની પિટિશન કરી હતી જેના આધારે હાલમાં આયોગે નોટિસ ફટકારી છે અને ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રીપોર્ટ માંગ્યો છે અને કાંતિલાલ પરમાર દ્વારા ઝુલતા પુલનો જેને કોન્ટ્રાકટ લીધો હતો તે ઓરેવા કંપનીના જવાબદાર માલિક અને નગરપાલિકા, જીલ્લા કલેક્ટર સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે અને પ્રત્યેક ભોગ બનનારના વારસદાર આશ્રિતને ૫૦ લાખનું વળતર અને સાચા ગુનેગારો સામે કાયદાકીય પગલા ભરવાની માંગણી કરવામાં આવેલ છે.






Latest News