તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લૂંટના ગુનામાં પોલીસે આરોપીના ઘરથી વધુ ૧૪ લાખ રૂપિયા રિકવર કર્યા


SHARE











મોરબીના લૂંટના ગુનામાં પોલીસે આરોપીના ઘરથી વધુ ૧૪ લાખ રૂપિયા રિકવર કર્યા

મોરબીના પીપળી ગામે આવેલ કારખાનેથી રોકડા રૂપિયા ૨૯ લાખ થેલામાં લઈને યુવાન તેના ઘરે જતો હતો ત્યારે યુવાનના બાઈકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા પાછળથી ઠોકર મારી હતી અને ત્યાર બાદ યુવાનને ઢિકાપાટુનો માર માર્યો હતો અને તેની પાસેથી ૨૯  લાખની લૂંટ કરીને ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે જો કે ત્યારે આરોપીઓ પાસેથી ૧૫ લાખ રોકડા અને મુદામાલ મળીને ૨૮.૩૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો જો કે, હાલમાં આ ગુનામાં લૂંટમાં ગયેલ વધુ ૧૪ લાખ રૂપિયા પોલીસે રિકવર કરેલ છે

થોડા દિવસો પહેલા મોરબી નજીકના પીપળી ગામે આવેલ કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતો અને પીપળી ગમે રહેતો ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા ત્યાર બાદ ચંદ્રેશભાઇ શિરવીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ લૂંટના ગુનામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી જે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે

દરમ્યાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે આ ગુનામાં મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત  (૨૮), શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુત (૨૯), મહિપાલસિંહ અભેસંગ ગોહેલ જાતે કારડીયા રાજપુત (૨૭), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (૨૮), દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (૨૮), ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (૩૦) અને અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (૨૧)ને પકડાયા હતા અને હજુ આ ગુનામા મનીષ સોલંકી રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી વાળા ચોટીલા વાળાને પકડવાનો બાકી છે તેવામાં પોલીસે હાલમાં લૂંટમાં ગયેલા રૂપિયા પૈકીનાં ૧૪ લાખ રૂપિયા જે કબજે કરવાના બાકી હતા તે હાલમાં આરોપી શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુતના સારા રોડ ઉપર આવેલ ભાડાના મકાનમાંથી રિકવર કરેલ છે આમ લૂંટમાં ગયેલ તમામ ૨૯ લાખ રૂપિયા પોલીસે રિકવર કરેલ છે 






Latest News