મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

RSS ના સર સંઘ ચાલક મોહન ભાગવત મોરબીથી રાજકોટ થઈને દિલ્હી જવા માટે રવાના


SHARE











RSS ના સર સંઘ ચાલક મોહન ભાગવત મોરબીથી રાજકોટ થઈને દિલ્હી જવા માટે રવાના

આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાના ઘરે તેમણે રોકાણ કર્યું હતું અને ત્યાં જ ભોજન પણ લીધું હતું અને બપોરે ચાર વાગ્યે તેઓ રાજકોટ એરપોર્ટ તરફ બાયરોડ જવા માટે રવાના થયા હતા

કચ્છ સૌરાષ્ટ્ર ઝોનની સંઘની ત્રણ દિવસની બેઠકનું આયોજન અંજાર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા અને આ બેઠકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ૩૫૦ જેટલાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્રણ દિવસની આ બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરેક ગામમાં ઓછામાં ઓછી એક શાખા કાર્યરત થાય તે જોવા માટે પદાધિકારીઓને કહ્યું હતું અને આગામી વર્ષ ૨૦૨૫ માં સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી જો કે, આ બેઠક પૂરી કરીને આજે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત પરત જવા માટે અંજારથી બાયરોડ રાજકોટ તરફ જતા હતા ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેશિયાના ઘરે બપોરે સાડા અગિયાર વાગ્યાના આરસમાં આવ્યા હતા અને બપોરે ચાર વાગ્યા સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા દરમ્યાન ડો.જયંતિભાઈ ભાડેશિયાના પરિવારને મળ્યા હતા અને તેની સાથે ભોજન પણ  લીધું હતું અને ત્યાર બાદ તેઓ અહીથી રાજકોટ એરપોર્ટ જવા માટે રવાના થશે વધુમાં ડો.જયંતિભાઈ ભાડેશિયાએ જણાવ્યુ હતું કે, પરિવારના હલચલ પૂછ્યા હતા અને આગામી વર્ષ ૨૦૨૫ માં સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી હતી






Latest News