મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શનિ-રવિવારે સંસ્કૃતિ ઉત્સવ-તુલસી દિવસ ઉજવાશે: નીલકંઠ સ્કૂલમાં તુલસી પૂજન કરાશે


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શનિ-રવિવારે સંસ્કૃતિ ઉત્સવ-તુલસી દિવસ ઉજવાશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શનિવાર  અને રવિવાર એમ બે દિવસ સંસ્કૃતિ ઉત્સવ અને તુલસી પર્વની ઉજવણી કરવામાં આવશે અને આ વર્ષે સાતમી વખત સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવવામાં આવશે.

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાશે અને તા ૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન તુલસી દિવસ નિમિતે તુલસી પૂજનઆરતીતુલસીનું મહત્વતુલસી રોપા વિતરણતુલસી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ એવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ વખતે સાર્થક વિદ્યામંદિરમાં સાતમી વખત તુલસી દિવસ ઉજવવામાં આવશે. ત્યારે તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સાર્થક સંસ્કૃતિ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૪ ડિસેમ્બરના તુલસી પર્વ-૧ નર્સરીથી ધોરણ ૫ ના બાળકો માટે અને તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ તુલસી પર્વ-૨ ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે તેની યાદીમાં જણાવ્યૂ છે.

 

નીલકંઠ સ્કૂલ

૨૫ મી ડિસેમ્બરની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. અને ક્રિસમસ ટ્રિ ને લાઇટિંગ કરવામાં આવે છે જો કે, મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલ દ્વારા ૨૫મી ડિસેમ્બરની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવામાં આવશે અને તુલસીના છોડનું દરેક ઘરમાં વર્ષોથી પૂજન કરાતું હોય છે ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓમાં તુલસી પૂજન અને તેના મહત્વ વિશે સમજણ આવે તે માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ૨૫ મી તારીખે તુલસીનું પૂજન કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે






Latest News