ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે રામદેવ રામાયણ અને મોરબીમાં શક્તિધામ મંદિરના લાભાર્થે લોકડાયરો યોજાશે


SHARE











મોરબીના મકનસર ગામે રામદેવ રામાયણ અને મોરબીમાં શક્તિધામ મંદિરના લાભાર્થે લોકડાયરો યોજાશે

મોરબીના મકનસર ગામમાં સીતારામનગર ખાતે શ્રી રામદેવ રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૬ થી ૧ જાન્યુઆરી સુધી આ રામદેવ રામાયણ ચાલશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે સીતારામનગર ખાતે શ્રી રામદેવ રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના રામધન આશ્રમ ભાવેશ્વરી માતાજીનાં શિષ્ય બાળ વિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) વક્તા તરીકે વ્યાસપીઠ ઉપર બિરાજશે અને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથામાં જુદાજુદા ધાર્મિક પ્રસંગો જેવા કે, શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, નંદ મહોત્સવ, શ્રી રામદેવજી મહારાજ પ્રાગટ્ય, શ્રી ભૈરવ ઉદ્ધાર, શ્રી રામદેવજી મહારાજનો વિવાહ, શ્રી પાટનો મહિમા ગત ગંગાના ભક્તોની કથા, શ્રી રામદેવજી મહારાજની સમાધી વિગેરે ઉજવવામાં આવશે આ કથા તા. ૨૬ ના રોજે બપોરે ૧: ૩૦ વાગ્યે શરૂ થશે અને દરરોજ દોઢથી સાંજના છ વાગ્યા સુધી કથા ચાલુ રહેશે જેથી કરીને આયોજક લાલાભાઈ મારાજ (અલ્પેશભાઈ અનંતરાય દેવમુરારી)એ જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે

લોકડાયરો યોજાશે

મોરબીના માધાપર ઓજી વિસ્તારમાં શક્તિધામ મંદિર ખાતે મંદિરના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૩ ને શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે આ લોકડાયરો યોજાવાનો છે જેમાં વિવેક સાંચલા, અપેક્ષા પંડ્યા અને ગોવિંદ ગઢવી સહિતના કલાકારો જમાવટ કરશે માટે આ લોકડાયરાને માણવા માટે જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા લોકોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું






Latest News