મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી


SHARE











પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી

પાલીતાણા ખાતે જૈન મંદિરે હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટનાને લઈને મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન કરવાની મોરબી જૈન સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઈક રેલી મોરબીના દરબાર ગઢથી શરૂ કરવામાં આવી હતી અને નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન રોડ થઈને આ રેલી જિલ્લા સેવા સદનને પહોંચી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને આગેવાનોએ જૈન સમાજના સાધુ-ભગવતો અને યાત્રાળુ ઉપર પણ આવરા તત્વો હુમલા કરતા હોવાથી આવા બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે તેમજ પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં લેવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું 






Latest News