મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મોરબી પાલિકાના ચેરમેનના દીકરાનું સારવારમાં મોત


SHARE







ટંકારાના લજાઈ પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મોરબી પાલિકાના ચેરમેનના દીકરાનું સારવારમાં મોત

ટંકારાના લજાઈ ગામના બસ સ્ટેન્ડ પાસે થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઇડમાં ઉભેલા આધેડને કારના ચાલકે હડફેટે દીધા હતા જેથી આધેડને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી તે પૈકીનાં મોરબી પાલિકાના મહિલા ચેરમેનના દીકરાને વધુ ઇજા થયેલ હોવાથી તેને દિલ્હી સુધી સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી અકસ્માતના આ બનાવમાં અગાઉ ટંકારા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા સાગરભાઇ કમલેશભાઈ મકવાણા (૨૮) એ થોડા દિવસો પહેલા ફોક્સ વેગન પોલો કાર નં. જીજે ૩૬ એસી ૯૭૭૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના પિતા કમલેશભાઈ દેવજીભાઈ મકવાણા (૫૧) રહે. લજાઈ વાળા લજાઈ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ સાઈડમાં ઊભા હતા ત્યારે મોરબી બાજુથી આવી રહેલ કારના ચાલકે તેઓને લીધા હતા અને બાવળની જાળીમાં ફંગોળી દીધા હતા જેથી કરીને તેને કમરના ભાગે ગંભીર ઈજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે કાર ચાલકે કમલેશભાઈને હડફેટ લીધા હતા તે કારનો પણ અકસ્માત થયો હતો અને કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી તે ચાર ઇજાગ્રસ્તો પૈકી મોરબી પાલિકામાં હાઉસ ટેક્સ વિભાગના મહિલા ચેરમેન શીતલબેન ચતુરભાઈ દેત્રોજાના દીકરા કરણ ચતુરભાઈ દેત્રોજાને વધુ ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને દિલ્હી સુધી સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું છે જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે






Latest News