મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ગિરિરાજ રક્ષા રેલી યોજાશે


SHARE











મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ગિરિરાજ રક્ષા રેલી યોજાશે

પાલીતાણા ખાતે જૈન મંદિર આવેલ છે ત્યાં બે દિવસ પહેલા હુમલાની ઘટના બની હતી જેનો ગામોગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા તા ૨૦ ને મંગળવારે બપોરે 3 વાગ્યે ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આજે સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તે બાઈક રેલી આજે બપોરે 3 વાગ્યે મોરબીના દરબાર ગઢથી શરૂ કરવામાં આવશે અને નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન રોડ થઈને આ રેલી જિલ્લા સેવા સદનને પહોંચશે અને ત્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અને કોઈપણ તીર્થધામ પ્રજા માટે પ્રાણ સમાન હોય છે ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોય ગિરિરાજની સલામતી અને રક્ષણ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના લોકોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News