મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરે કનકેશ્વરી દેવીજીની હાજરીમાં સેવા સંસ્થા સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબીના ખોખરા હનુમાન મંદિરે કનકેશ્વરી દેવીજીની હાજરીમાં સેવા સંસ્થા સ્નેહમિલન યોજાયું

ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત) દ્વારા મોરબી જિલ્લામાં સેવા કાર્ય દ્વારા સુવાસ ફેલાવતી જુદી જુદી સંસ્થા તથા વ્યક્તિગત સેવા કરતા કાર્યકરોનું સેવા સંસ્થા સ્નેહ મિલન મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રાખવામા આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સેવા સંસ્થાઓના સેવા કાર્યને બિરદાવીને સમાજ ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાની હાકલ કરી હતી. રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારાએ વ્યક્તિગત સેવાને પણ મહત્વ આપી કાર્યકરોને સતત સેવામય બની કાર્ય કરવા પ્રેરક ઉદબોધન આપ્યું હતું. તો મહામંડલેશ્વર ૧૦૦૮ કનકેશ્વરી દેવીજીએ આ પ્રસંગે પૂર્ણ સમય ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે જે સેવાકાર્ય થાય છે તે ખૂબ જ સારી રીતે સમાજના બધા વર્ગ માટે થાય છે તે વંદનીય છે અને સેવા સંસ્થા સ્નેહ મિલનના આ કાર્યક્રમને કનકેશ્વરી દેવીજીએ બિરદાવ્યો હતો. આ તકે અલગ અલગ સેવા સંસ્થાના કાર્યકરોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓમોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયામોરબી જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા






Latest News