મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતીની ઉજવણી સંદર્ભે મીટીંગ યોજાશે


SHARE











મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતીની ઉજવણી સંદર્ભે મીટીંગ યોજાશે

મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુશ્રી રામાનંદાચાર્યજીની જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત એક મીટીંગનું આયોજન આગામી તા. ૨૫ ના રોજ કરવામાં આવ્યું છે.મોરબી રામાનંદી સાધુ સમાજની યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા. ૧૪-૧ ના રોજ જગતગુરુશ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મજયંતીની ઉજવણીના આયોજન અંગે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તા. ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે.

ચોપડા વિતરણ

મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ દ્વારા જે પણ બાળકોના પિતા ઇન્ડિયન આર્મીમાં હોય તેવા બાળકોને લખવાના ચોપડાનું (ધોરણ મુજબ) વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો જેમના પણ ધ્યાનમાં આવું કુંટુંબ હોય તે વ્યક્તિએ અથવા તો તે કુંટુંબે માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવેલ છે.વહેલા તે પહેલાના ધોરણે ચોપડા આપવામાં આવશે.અત્યાર સુધીમાં આ સડસ્થા દ્વારા આવા ૩૫ થી પણ વધારે કુટુંબના બાળકોને ચોપડાનું વિતરણ કરેલ છે અને હજુ પણ આ વિતરણ વિનય કરાટે એકેડમી, અવની ચોકડી પાસે ચાલુ જ છે.વધુ માહીતી માટે મોબાઇલ નંબર ૮૭૫૮૨ ૩૫૬૦૫ અથવા ૭૬૦૦૩ ૨૬૮૮૧ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News