મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા યુવાનો જોગ


SHARE







મોરબી જિલ્લામાંથી સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા યુવાનો જોગ

સંરક્ષણ દળમાં જોડાવા માંગતા એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે અને તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી મોરબી ખાતે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂમાં અરજી કરવી રહેશે

મોરબી જિલ્લાના રોજગારવાંચ્છુક ઉમેદવારો સંરક્ષણ દળમાં જોડાઇ ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે તેવા હેતુસર નવેમ્બર -૨૦૨૨ માં રાજકોટ ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગનો સમયગાળો ૧૫(પંદર) દિવસનો રહેશે. જેમાં વિષય તજજ્ઞો દ્વારા લેખિત કસોટીના અભ્યાસક્રમ મુજબ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર નોંધણી કાર્ડની નકલ, એડમીટ કાર્ડની નકલ, ર પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે તા.૨૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી - મોરબી ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી –મોરબીનો સંપર્ક કરવા કે કચેરીના કોલ સેન્ટર નંબર. ૬૩૫૭૩૯૦૩૯૦ માં ફોન કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, હાલ મોરબી જિલ્લાના પાંચ તાલુકા સેન્ટર પર કૃષિપાકો માટે  યુરિયાનો ૭૦૮૩ મેટ્રિક ટન અને ડીએપી રાસાયણિક ખાતરનો ૧૧૦૦ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. રવી સીઝનમાં હાલ મોરબી જિલ્લામાં ૩૨૦૯૫ હેક્ટરમાં ઘઉં, ૨૬૫૧૦ હેક્ટરમાં ચણા, ૯૦૬૮ હેક્ટરમાં રાયડો, ૭૪૧૫ હેક્ટરમાં ઘાસચારો, ૨૬૦૨૨ હેક્ટરમાં જીરૂ, ૭૫૧૦ હેક્ટરમાં ધાણા, ૪૬૮૫ હેક્ટરમાં વરિયાળી, ૧૭૩૯ હેક્ટરમાં લસણ અને ૧૬૧૬ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ શિયાળું પાક માટે યુરિયા અને ડીએપી સહિતના રાસાયણિક ખાતરનો કુલ ૧૨૩૩૦ મેટ્રિક ટનથી વધુ જથ્થો ઉપલબ્ધ છે જે પર્યાપ્ત માત્રામાં છે






Latest News