તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા યુવાનો જોગ


SHARE











મોરબી જિલ્લામાંથી સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા યુવાનો જોગ

સંરક્ષણ દળમાં જોડાવા માંગતા એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે અને તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી મોરબી ખાતે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂમાં અરજી કરવી રહેશે

મોરબી જિલ્લાના રોજગારવાંચ્છુક ઉમેદવારો સંરક્ષણ દળમાં જોડાઇ ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે તેવા હેતુસર નવેમ્બર -૨૦૨૨ માં રાજકોટ ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગનો સમયગાળો ૧૫(પંદર) દિવસનો રહેશે. જેમાં વિષય તજજ્ઞો દ્વારા લેખિત કસોટીના અભ્યાસક્રમ મુજબ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર નોંધણી કાર્ડની નકલ, એડમીટ કાર્ડની નકલ, ર પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે તા.૨૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી - મોરબી ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી –મોરબીનો સંપર્ક કરવા કે કચેરીના કોલ સેન્ટર નંબર. ૬૩૫૭૩૯૦૩૯૦ માં ફોન કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, હાલ મોરબી જિલ્લાના પાંચ તાલુકા સેન્ટર પર કૃષિપાકો માટે  યુરિયાનો ૭૦૮૩ મેટ્રિક ટન અને ડીએપી રાસાયણિક ખાતરનો ૧૧૦૦ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. રવી સીઝનમાં હાલ મોરબી જિલ્લામાં ૩૨૦૯૫ હેક્ટરમાં ઘઉં, ૨૬૫૧૦ હેક્ટરમાં ચણા, ૯૦૬૮ હેક્ટરમાં રાયડો, ૭૪૧૫ હેક્ટરમાં ઘાસચારો, ૨૬૦૨૨ હેક્ટરમાં જીરૂ, ૭૫૧૦ હેક્ટરમાં ધાણા, ૪૬૮૫ હેક્ટરમાં વરિયાળી, ૧૭૩૯ હેક્ટરમાં લસણ અને ૧૬૧૬ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ શિયાળું પાક માટે યુરિયા અને ડીએપી સહિતના રાસાયણિક ખાતરનો કુલ ૧૨૩૩૦ મેટ્રિક ટનથી વધુ જથ્થો ઉપલબ્ધ છે જે પર્યાપ્ત માત્રામાં છે






Latest News