વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો


SHARE











મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે આજે તા ૧૬ મી ના રોજ ચુંટણી યોજાઇ છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને પ્રમુખ સહિતના હોદા માટે ઉભેલા ઉમેદવારોમાંથી પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટણી કાઢવા માટે વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને આજે સાંજે જ ફેંસલો આવી જશે

મોરબીની કોર્ટમાં આજે મોરબી બાર અશોસીએશનના પ્રમુખ  સહિતના હોદેદારો માટે ચુંટણી યોજાઈ છે અને તેના માટે મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે આ ચુંટણીમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, મુછડીયા કમલાબેન ધનજીભાઈ, ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર અને રાઠોડ જયરાજસિંહ પી.એ ઉમેદવારી નોંધાવી છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ, જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ, સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ, અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ મેદાનમાં છે જો કે, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ, હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ અને જાડેજા યોગરાજસિંહ જે. અને કારોબારી સભ્યપદ પાસ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, રાણપરા નીરાલીબેન ડી., શેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભાએ ઉમેદવારી નોંધાવી છે અને આ તમામ ઉમેદવારોમાંથી મનપસંદ ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે વકીલો દ્વારા ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે વધુમાં મળતી માહિતી મુજબ આ ચુંટણીમાં મોરબી બાર એસો.માં નોંધાયેલા ૪૮૬ વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને સવારે ૧૦ થી લઈને બપોરના બે વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે ત્યાર બાદ મતગણતરી શરૂ કરવામાં આવશે અને સાંજે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરાશે






Latest News