તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામમાં ગેરકાયદેસર કબજો દુર નહિ થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી


SHARE











માળિયા (મી)ના બગસરા ગામમાં ગેરકાયદેસર કબજો દુર નહિ થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી

માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામ પાસે સરકૃ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જેથી કરીને બગસરા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને હાલમાં રજૂઆત કરવામાં આવી છે અને સરકારી જમીન ઉપર કરાયેલ દબાણે દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો તંત્ર દ્વારા કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચિંમકી ઉચ્ચારી છે

માળિયા મિયાણા તાલુકાની બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઇ પીપળીયાએ કલેકટરને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, બગસરા ગામ પાસે દરિયાકાંઠે રહેતા લોકોએ ગેરકાયદેસર માથાભારે ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં તે લોકો વસવાટ પણ કરી રહ્યા છે અને આં શખ્સો દ્વારા દરીયાની સર્વે નંબરની તથા નીલ સર્વે નંબરની જમીનો ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે આટલું જ નહીં પરંતુ ગ્રામજનો ત્યાં જાય તો તેને ધમકીઓ આપવામાં આવે છે આ દરીયાઇ જમીનમાં અમારો કબ્જા છે તેવું કહીને ધમકાવીને ગેરકાયદે કાચા પાળા બનાવી લેવામાં આવેલ છે અને નીલ સર્વે નંબર ઉપર ગેરકાયદે મીઠુ ઉત્પાદન કરવાના હેતુથી મીઠા સર્વે નંબર ઉપર પ્લાન ઉભા કરેલા છે અને મીઠી જમીનને ખારી જમીન કરવામાં આવી રહી છે. જેથી માલધારીઓ ધાસ-ચારો નાશ પામી રહ્યો છે. અને મીઠી જમીન પર ગેરકાયદે મીઠાના ઢગલા કરવામાં આવી રહ્યા છે આં મુદે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પરંતુ બગસરાની હદમાં આવતી તમામ જમીન પર સર્વે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ પ્રશ્નો નહિ ઉકેલાય તો આગમી દિવસોમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચરી છે






Latest News