તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા કેસમાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીના મમુદાઢી હત્યા કેસમાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી આ ગુનામ ચાર આરોપીઓને પકડવાના બાકી છે જે પૈકીનાં એક આરોપીને પકડવામાં આવ્યો હતો અને આં આરોપીને ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીના હત્યાના ચકચારી કેસમાં મુખ્ય આરોપીને પકડવા સહિતની દિશામાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગત તા. ૮/૯/૨૦૨૧ ના રોજ કાર ઉપર ફાયરિંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી જે ચકચારી હત્યા કેસમાં પાછળથી પોલીસે ગુજસીટોકનો ઉમેરો કર્યો હતો અને આ ગુનામ પહેલા પોલીસે કુલ મળીને ૧૪ આરોપીને ઝડપી લીધા હતા જો કેચાર આરોપીને પકડવાના બાકી હતા તે પૈકીનાં એક આરોપીની મોરબીની લીલપર ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરી હતી અને આરોપી હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર જાતે ફકીર રહે. વજેપર મેઈન રોડ દરગાહ પાસે મોરબી વાળાને રિમાન્ડની માંગણી સાથે રાજકોટમાં આવેલ ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારી વકીલે કરેલી દ્લિલને ધ્યાને લઈને કોર્ટે ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસ એટ્લે કે આગામી તા ૨૭ સુધી ના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી મોરબીના ડીવાયએસપી ઝાલાએ તેની ટીમ દ્વારા મુખ્ય આરોપી આરીફ મિર સહિત બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવશે તેની સાથોસાથ જુદાજુદા મુદાઓની તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે






Latest News