મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં માવતર આવેલ મહિલા બાથરૂમમાં પડી જતા મોત


SHARE











મોરબીમાં માવતર આવેલ મહિલા બાથરૂમમાં પડી જતા મોત

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતી પરણીતા પોતાના માવતરને ત્યાં આવી હતી અને ત્યાં બાથરૂમમાં ન્હાવા સમયે પડી ગઇ હતી જેથી તેણીને માથાના ભાગ ઇજા થતા તેનું મોત નિપજયુ હતુ.

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં પિતાને ત્યાં આવેલ ગુલાબબેન હાસમભાઈ જામ નામની ૨૬ વર્ષીય મહીલા તેના પિતાના ઘેર આંટો દેવા માટે આવી હતી અને તે બાથરૂમમાં નાહવા માટે ગઈ ત્યારે પડી જતા માથાના ભાગે ઈજા થતાં આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ ગયા હતા અને જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રમાંથી મળતી માહિતી મુજબ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગુલાબબેન હાસમભાઈ જામ નામની ૨૬ વર્ષીય પરિણીતા પોતાના પિતા હાસમભાઈ સલેમાનભાઈ જામ જાતે મિયાણા (૪૨) ને ત્યાં આંટો દેવા માટે આવ્યા હતા અને તેઓનું સાસરૂ તેમના પિતાના ઘરની સામે જ આવેલ છે. ત્યાંથી તે પોતાના માવતરને ત્યાં આંટો દેવા આવ્યા હતા અને અહીં માવતરને ત્યાં બાથરૂમમાં નાહવા માટે ગયા ત્યારે પડી જતા માથાના ભાગે ઇજાઓ થતા ગુલાબબેનને સારવાર માટે આયુષમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું બનાવની નોંધ થતા બી ડિવિઝન પોલીસ મથકના.જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

કાર અકસ્માતમાં ઇજા

મોરબીના રાજકોટ હાઇવે ઉપર લજાઈ ગામની પાસે મસ્જિદ નજીક કાર પલ્ટી મારી ગઈ હતી જેથી કરીને કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી અને એક રાહદારી યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ. જયારે કારમા રહેલા ચાર પૈકી કરણ ચતુર દેત્રોજા (૨૫) અને હિમાંશુ હિતેન્દ્ર દેત્રોજા (૨૫) રહે. બંને મોરબી નામના યુવાનોને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જયાપે આ અકસ્માતમાં ગંભીરપણે ઘવાયેલ એક યુવાનને રાજકોટ ખસેડવામાં આવેલ છે.

પરણીતા સારવારમાં

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ધારાડુંગર વિસ્તારમાં રહેતા રેખાબેન પ્રવીણભાઈ કરશનભાઈ ઝાલા નામની ૨૮ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી હાલમાં બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News