મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહાજન ચોકમાં ગારમેન્ટના સ્વરૂપમાં પહેલા માળેથી પડી જતા બાળકી સારવારમાં


SHARE







મોરબીના મહાજન ચોકમાં ગારમેન્ટના સ્વરૂપમાં પહેલા માળેથી પડી જતા બાળકી સારવારમાં


મોરબીના જુના મહાજન ચોક પાસે આવેલ ગારમેન્ટના શોરૂમમાં પહેલા માળેથી નીચે પડી જતા બાળકીને માથાના ભાગે ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવી હતી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના જૂના મહાજન ચોક પાસે આવેલ કાપડના શોપિંગ મોલના પહેલા માળેથી રમતા રમતા ખુશી ઉદયભાઇ ચારોલા નામની પાંચ વર્ષની બાળકી નીચે પડી ગઈ હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને બેભાન હાલતમાં ખુશી ચારોલાને સારવારમાં ખસેડાઇ હોય બનાવની જાણ થતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં રહેતા જાવેદ દાઉદભાઇ સાપરા નામના ૩૨ વર્ષના યુવાનને કંડલા બાયપાસ પાપાજી ફનવલ્ડ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં યુવાનને ઇજા\

મોરબીના રહેવાસી બકુલ હરિલાલ સોનગ્રા નામનો ૨૫ વર્ષનો યુવાન મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસેથી સાયકલ લઈને જતો હતો ત્યારે શનાળા રોડ ઉપર સરદારબાગ નજીક અજાણ્યા રીક્ષા ચાલકે તેની સાઇકલની હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા બકુલ સોનગ્રાને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે હળવદના કવાડિયા ગામે રહેતા નરેશ સરતાનભાઇ નાયક નામના ૧૮ વર્ષના યુવાને ગામની અંદર બાબુભાઈના ખેતરમાં કોઈ કારણોસર કપાસમાં છાંટવાની દવા પી લેતા તેને સારવાર માટે અહિંની સિવિલે લવાયો હતો.તેમજ માોરબીના લીલાપર રોડ ત્રણ માળીયા પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા રાજુ ધનજીભાઇ પરમાર (૨૮) ને સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના નગર દરવાજા પાસે આવેલ સિપાઈવાસ વિસ્તારમાં રહેતા જાવેદ ઉમરભાઈ ખુરેશી નામના ૩૫ વર્ષના યુવાનને તેના રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જેને પગલે જાણ થવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News