મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે દવા પી ગયેલ વૃદ્ધા સારવારમાં


SHARE











મોરબીના ગાળા ગામે દવા પી ગયેલ વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા વૃદ્ધા ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા  મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગાળા ગામના રહેવાસી શાંતાબેન અમરસીભાઈ દલસાણીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધા તેમના ઘેર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેમના દીકરા દિનેશભાઈ દલસાણીયા દ્વારા તેમને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા હાલ બેભાન હાલતમાં શાંતાબેન દલસાણીયાને અત્રેની મંગલમ હોસ્પિટલએ સારવારમાં લાવવામાં આવ્યા છે.જેથી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી છે જેની તપાસ વિજયભાઇ ડાંગર ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના આલાપ રોડ ઉપર આવેલ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા જબુબેન પ્રેમજીભાઈ વડસોલા નામના ૭૩ વર્ષીય વૃદ્ધા આલાપ રોડ ઉપર આવેલ પટેલનગરના ખૂણા પાસેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટ લેતા જબુબેન વડસોલાને પણ સારવારમાં ખસેડાયા હતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

કામ દરમિયાન ઇજા થતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા ઢુવા પાસેના વરમોરા ગ્રેનાઈટો નામના કારખાનામાં કામ દરમિયાન મજૂર યુવાનને ઇજા પહોંચી હતી જેથી કરીને ગણપતસિંહ ભુપેન્દ્રસિંહ ચાવડા નામના ૩૧ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠે આવેલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા પાસેના રોહીદાસપરા વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે મિત્રો દ્વારા એકબીજાને દુકાનેથી બિસ્કીટ લાવવા માટેની વાતચીત દરમિયાનમાં થયેલ ઝઘડા બાદ બંને વચ્ચે સામસામે મારામારી થઈ હતી જેમાં જયસુખ કરશનભાઇ સાવરીયા (૨૫) અને પુરુષોત્તમ હીરાભાઇ ચાવડા (૩૯) નામના બે યુવાનોને ઈજા પહોંચતા સિવિલે સારવારમાં ખસડાયા હતા જેથી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News