મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના વાકિયા પાસે મિત્રનો મોબાઇલ પાછો અપાવનારા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE











વાંકાનેરના વાકિયા પાસે મિત્રનો મોબાઇલ પાછો અપાવનારા યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેર નજીક આવેલ વાકિયા ગામ પાસે મિત્રનો મોબાઇલ લેનાર શખ્સને મોબાઈલ પરત આપવા માટે કહ્યું હતું જે તેને સારું નથી લાગતા તે શખ્સે યુવાનની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાનને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને આ બનાવની સારવાર લીધા બાદ ઇજાગ્રસ્ત યુવાને એક શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સ્મશાન પાસે રહેતા શાહરુખભાઈ ઈકબાલસા દિવાન જાતે ફકીર (૨૧)એ હાલમાં અલ્તાફભાઈ દિલાવરભાઈ ખેરડીયા ઉર્ફે કડી રહે. વાંકાનેર જલારામ જીનવાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેરના વાકિયા ગામ પાસે તેના મિત્ર દીપુનો મોબાઇલ અલ્તાફે જોવા માટે લીધો હતો અને તે મોબાઈલ દીપુને પરત આપવા માટે થઈને તેને ફરિયાદી યુવાને કહ્યું હતું જે તેને સારું લાગ્યું ન હતું અને અલ્તાફે ઉશ્કેરાઈ જઈને શાહરૂખને ગાળો આપી હતી અને ફરિયાદીએ તેના મિત્ર દીપુને તેનો મોબાઈલ પરત અપાવ્યો હતો તે બાબતનો ખાર રાખીને તેની સાથે માથાકૂટ કરી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા અલ્તાફે તેની પાસે રહેલ છરી શાહરૂખને પેટના ભાગે મારી દીધી હતી જેથી કરીને શાહરૂખને ઈજા થતાં તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ શાહરૂખ દીવાને હાલમાં અલ્તાફ ખેરડિયાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News