મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના મંદરકી પાસે દરીયાકાંઠે માથાભારે શખ્સોએ બનાવેલા માટીના પાળા હટાવવા માછીમારોની માંગ


SHARE







માળીયા (મિ)ના મંદરકી પાસે દરીયાકાંઠે માથાભારે શખ્સોએ બનાવેલા માટીના પાળા હટાવવા માછીમારોની માંગ

માળીયા મિયાણા તાલુકાનાં જુના ઘાટીલા પાસે મંદરકી ગામે આવેલ છે અને ત્યાં રહેતા માછીમારો મચ્છી મારી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જો કે, દિરયાકાંઠે માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદે માટીના પાળા ઊભા કરવામાં આવેલ છે અને આ શખ્સોએ આશરે ૧૦ ફૂટ જેટલા ઊંચા પાળા ઊભા કરેલ છે જેથી કરીને દરિયાનું પાણી આવતું બંધ થઈ ગયેલ છે જેથી કરીને મચ્છી મારી કરીને પરિવાર ચલાવતા ૬૫ જેટલા માછીમાર પરીવારની રોજીરોટી ઉપર સવાલ ઊભો થયેલ છે જેથી કરીને સ્થાનિક લોકોએ માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને ગેરકાયદે ઊભા કરવામાં આવેલ પાળાને દૂર કરવાની માંગ કરેલ છે

માળીયા મિયાણાના મંદરકી ગામે રહેતા હસનભાઇ હજીભાઇ નોતિયાર, ગુલમમાદભાઈ જેડા, હુસેનભાઇ નોતિયાર, જેડા અજરુદીનભાઈ, જેડા મુસ્તાક રસુલભાઇ સહિતના મચ્છી મારો દ્વારા હાલમાં માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઑ વર્ષોથી માછીમારીનો ધંધો કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે જો કે, છેલ્લા બેથી ત્રણ વર્ષથી અમુક માથાભારે લોકો દ્વારા સરકારે માછીમારી માટે ફાળવેલ જમીન પર પોતાના મીઠાના ધંધાને વિકસાવવા અને પોતાના અંગત સ્વાર્થ માટે માછીમારીની આ જમીન પર આશરે ૧૦ ફૂટ જેટલા ઊચા અને પોહળા પાળા બાંધી લેવામાં આવેલ છે જેથી કરીને દરિયાના પાણીને રોકી લેવામાં આવતા માછીમારી કરી શકાતી નથી અને હાલમાં ૬૫ જેટલા પરીવારોની રોજીરોટીનો સવાલ ઊભો થયેલ છે

વધુમાં આ લોકોએ જણાવ્યુ છે કે, માછીમારીનો ધંધો વર્ષોથી કરતાં હોય તેને માછીમારીના મત્સઉદ્યોગ કચેરી દ્વારા લાયસન્સ પણ આપવામાં આવેલ છે તેમજ માછીમારીમાં ઉપયોગમાં લેવાતી બોટોની નોંધણી પર તેઓએ કરાવી છે આટલું જ નહીં વખતો વખત રીન્યુ પણ કરેલ છે તેમ છતાં પણ રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા સરકારે મચ્છીમારી માટે ફાળવેલ જમીન ઉપર પાળા બાંધીને દરિયાના પાણીને રોકી લીધેલ છે માટે તે પાળાને દૂર કરવા છેલ્લા ત્રણ વર્ષથી જુદાજુદા લાગુ પડતાં વિભાગની કચેરીઓમાં લેખીત અને મોખિક રજુઆતો કરેલી છે તો પણ કોઈ અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી ત્યારે જો હવે આ પ્રશ્નનું નિરાકરણ વહેતી તકે નહિ આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

હાલમાં માછીમારો દ્વારા જે માંગણીઓ કરવામાં આવી છે તેમાં સરકારે માછીમારોને આપેલ જમીન ઉપરથી તાત્કાલિક ગેરકાયદે પાળાને દૂર કરવામાં આવે, વર્ષો પહેલા સરકારે મચ્છીમારી માટે જે જમીન આપી હતી તે માછીમારો માટે પુરતી ન હોવાટી હવે માછીમારો પરીવારને વધુ ૧૨ એકર જમીન ફાળવવામાં આવે, તેના પર ભવિષ્યમાં આવો કબજો ન થાય તેની તકેદારી રાખવામાં આવે, માછીમાર પરીવાર અને ધંધા માટે સરકારની જુદી જુદી કચેરીઓની યોજનાઓ તેમજ સહાય સહેલાઈથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી, માછીમાર પરીવારના બાળકોને શિક્ષણ સહેલાઇ મળે અને બાળકોના ભવિષ્યના ઘડતર થાય તેવી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવી, માછીમાર પરીવારી રાત દિવસ ધંધા માટે દરિયાકાંઠે રહે તેમના માટે જરૂરી લાઇટ, પીવાના પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News