મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે રહેતા યુવાનનું મોત


SHARE







મોરબીના કૃષ્ણનગર ગામે રહેતા યુવાનનું મોત

મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેકનો હુમલો આવતા તેનું મોત નીપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.બનાવ સંદર્ભે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા ચંદુભાઈ ભીખાભાઈ ભીમાણી નામનો ૪૬ વર્ષનો યુવાન તેના ઘરે હતો ત્યારે ગઈકાલે તેને હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજયુ હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા બનાવની જાણ થવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ અંગે તપાસ ચલાવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઈજા પામેલા જશોદાબેન પ્રેમજીભાઈ સોલંકી અને હેત્વીબેન મુકુંદભાઈ સોલંકી (ઉમર ૪) રહે. શોભેશ્વર રોડ સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ પહોંચતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર એન્ટિક સીરામીકથી આગળના ભાગે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા રાજકુમાર નામના ૪૫ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અહીં તે બેભાન હોય તેને રાજકોટ લઈ જવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી રહી હતી દરમ્યાનમાં તે ભાનમાં આવતા હોસ્પિટલ સુત્રોને કંઈપણ જાણ કર્યા વિના તે દવાખાનેથી ભાગી છુટ્યો હતો હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીના બનાવમાં ઈજા

મોરબી તાલુકાના બાદનપર (આમરણ) ગામે રહેતા મહેન્દ્રભાઈ મોહનભાઈ સાવરીયા (૨૮), મોહનભાઈ હીરાભાઈ સાવરીયા (૫૬) અને મનોજભાઈ હીરાભાઈ સાવરીયા (૩૬) ને આમરણ (બાદનપર) ગામે વાડી વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા પહોંચતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા બનાવ અંગે નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News