મોરબીના કૃષ્ણનગર ગામે રહેતા યુવાનનું મોત
SHARE
મોરબીના કૃષ્ણનગર ગામે રહેતા યુવાનનું મોત
મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેકનો હુમલો આવતા તેનું મોત નીપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.બનાવ સંદર્ભે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા ચંદુભાઈ ભીખાભાઈ ભીમાણી નામનો ૪૬ વર્ષનો યુવાન તેના ઘરે હતો ત્યારે ગઈકાલે તેને હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજયુ હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા બનાવની જાણ થવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ અંગે તપાસ ચલાવામાં આવી રહી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઈજા પામેલા જશોદાબેન પ્રેમજીભાઈ સોલંકી અને હેત્વીબેન મુકુંદભાઈ સોલંકી (ઉમર ૪) રહે. શોભેશ્વર રોડ સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ પહોંચતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર એન્ટિક સીરામીકથી આગળના ભાગે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા રાજકુમાર નામના ૪૫ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અહીં તે બેભાન હોય તેને રાજકોટ લઈ જવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી રહી હતી દરમ્યાનમાં તે ભાનમાં આવતા હોસ્પિટલ સુત્રોને કંઈપણ જાણ કર્યા વિના તે દવાખાનેથી ભાગી છુટ્યો હતો હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીના બનાવમાં ઈજા
મોરબી તાલુકાના બાદનપર (આમરણ) ગામે રહેતા મહેન્દ્રભાઈ મોહનભાઈ સાવરીયા (૨૮), મોહનભાઈ હીરાભાઈ સાવરીયા (૫૬) અને મનોજભાઈ હીરાભાઈ સાવરીયા (૩૬) ને આમરણ (બાદનપર) ગામે વાડી વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા પહોંચતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા બનાવ અંગે નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.