મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતા પૂલના હતભાગીઓના મોક્ષાર્થે ૧૧ કુંડી ગાયત્રી હવન યોજાયો


SHARE







મોરબીમાં ઝુલતા પૂલના હતભાગીઓના મોક્ષાર્થે ૧૧ કુંડી ગાયત્રી હવન યોજાયો

મોરબીમાં ઝુલતાપૂલના મૃતકોના આત્માની શાંતિ અર્થે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દુર્ઘટનાની પ્રથમ માસિક તિથી એટ્લે કે તા. ૩૦ ના રોજ  ઝૂલતાપૂલના મૃતકોના આત્માની શાંતિ માટે ગાયત્રી હવન રાખવામા આવ્યો હતો અને બહેનો સહિતના લોકોએ હવનમાં આહુતિ આપી હતી

ઝુલતાપૂલની દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે જાગૃત મહિલા ગ્રુપ અને સામજિક કાર્યકર સતીશભાઈ કાનાબાર દ્વારા એવન્યુ પાર્ક શેરી નં. ૩ ના સાર્વજનિક પ્લોટ ખાતે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તા. ૩૦ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ વાગ્યા સુધી ગાયત્રી પરિવાર મોરબી તથા વાકાનેરના સહયોગથી ગાયત્રી હવન કરવામાં આવ્યો હતો અને ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને યજ્ઞના દર્શન કરવા અને યજ્ઞમાં આહુતિ આપીને મૃતકોના આત્માને પરમ શાંતિ મળે તે માટે હવનમાં આહુતિ આપવા માટે હાજર રહી હતી






Latest News