મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું
Breaking news
Morbi Today

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિભાઈ અને ભાજપનું બુલડોઝર ફરી વળ્યું : આમ આદમી પાર્ટી નામશેષ


SHARE











મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિભાઈ અને ભાજપનું બુલડોઝર ફરી વળ્યું : આમ આદમી પાર્ટી નામશેષ

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી માટે મતદાન થવાને ગણતરીની કલાકો બાકી છે ત્યાર પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સહિતના યુવાનો આમ આદમી પાર્ટીને છોડીને હાલમાં ભાજપ સાથે જોડાયા છે અને મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિભાઈ અમૃતિયાનો વિજય વાવટો લહેરાઈ તેના માટે થઈને કામે લાગ્યા છે જાણવા મળતી વિગત પ્રમાણે માળિયાણા તાલુકા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિપુલભાઈ લખમણભાઇ છૈયા, મોરબી આમ આદમી પાર્ટીના સહમંત્રી નિલેશભાઈ દિનેશભાઈ ઠાકર, માળીયા મીયાણાના આમ આદમી પાર્ટીના સહમંત્રી ગૌરાંગભાઈ હીરાભાઈ કાનગડ, મોરબીના સહ સંગઠન મંત્રી રાકેશભાઈ જેઠાભાઇ કાનગડ અને હર્ષદભાઈ દેવમુરારી સહિતના યુવાનોએ આમ આદમી પાર્ટીને છોડીને વિકાસને વરેલી ભાજપ સાથે જોડાયા છે અને આ ચૂંટણીમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે અને કાંતિભાઈ અમૃતિયાનો વિજય વાવટો લહેરાય તેના માટે થઈને યુવાનો ભાજપની ટીમ સાથે ખભે ખભા મિલાવીને કામે લાગ્યા છે છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીમાં થયેલ ભંગારના કારણે આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષોમાં પણ સોપો પડી ગયો છે અને તમામ ઉમેદવારોને આ બેઠક ઉપરથી ધોબી પછડાટ ખાવાનો વારો આવે તો નવાઈ નથી.






Latest News