તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા પાસે રોજડા સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











મોરબીના ખાખરાળા પાસે રોજડા સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના ખાખરાળા ગામ પાસે આવેલ નકલંગ સોસાયટી પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ નજીક નકલંગ સોસાયટી પાસેથી કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા જાતે દરબાર (૨૦) નામનો યુવાન પોતાનું યામાહા કંપનીનું બાઈક નં. જીજે ૩૬ એડી ૭૨૭૨ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક રોજડુ ઉતર્યું હતું જેથી કરીને રોજડા સાથે બાઈક અથડાતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પિતા રણજીતસિંહ નવલસિંહ જાડેજા (૫૨) રહે. નાની વાવડી ખોડીયાર સોસાયટી વાળાની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક સર્વિસ રોડ ઉપરથી મનુભાઈ ગલચર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને બોલેરો ગાડી નંબર જીજે ૩૬ ટી ૯૫૭૮ ના ચાલકે તેને અડફેટે લેતા મનુભાઈને કમર અને પાંસળીના ભાગે ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને બોલેરોનો ચાલક નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ઇજાગ્રસ્તના દીકરા જયદીપભાઇ મનુભાઈ ગલચર જાતે આહિર (૨૭) રહે મોરબી રોડ જકાતનાકા પાસે જમના પાર્ક સોસાયટી રાજકોટ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News