મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા પાસે રોજડા સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











મોરબીના ખાખરાળા પાસે રોજડા સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના ખાખરાળા ગામ પાસે આવેલ નકલંગ સોસાયટી પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ નજીક નકલંગ સોસાયટી પાસેથી કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા જાતે દરબાર (૨૦) નામનો યુવાન પોતાનું યામાહા કંપનીનું બાઈક નં. જીજે ૩૬ એડી ૭૨૭૨ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક રોજડુ ઉતર્યું હતું જેથી કરીને રોજડા સાથે બાઈક અથડાતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પિતા રણજીતસિંહ નવલસિંહ જાડેજા (૫૨) રહે. નાની વાવડી ખોડીયાર સોસાયટી વાળાની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક સર્વિસ રોડ ઉપરથી મનુભાઈ ગલચર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને બોલેરો ગાડી નંબર જીજે ૩૬ ટી ૯૫૭૮ ના ચાલકે તેને અડફેટે લેતા મનુભાઈને કમર અને પાંસળીના ભાગે ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને બોલેરોનો ચાલક નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ઇજાગ્રસ્તના દીકરા જયદીપભાઇ મનુભાઈ ગલચર જાતે આહિર (૨૭) રહે મોરબી રોડ જકાતનાકા પાસે જમના પાર્ક સોસાયટી રાજકોટ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News