મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી એસ.ઓ.જી. ની ટીમે ઘરેલુ અત્યાચારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો


SHARE











 

મોરબી એસ.ઓ.જી. ની ટીમે ઘરેલુ અત્યાચારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો

જામનગર મહિલા પોલીસ સ્ટેશનના ઘરેલુ અત્યાચારના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લીધેલ છે અને આરોપીને જામનગર પોલીસને સોપવા માટેની કવાયત કરવામાં આવી છે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા આશીફસાઇ રહીમભાઇ રાઉમાને મળેલ બાતમી આધારે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરેલુ અત્યાચારના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપી અશોકભાઇ વાલજીભાઇ મધોડીયા જાતે સતવારા (૪૦) રહે. મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી મકાન નંબર-૧૧૨ મોરબી મુળ ધ્રોલ મોરબી નાકાની બાર દરેડવાડી વાળાને જેતપર રોડ ઉપર લેકમી સીરામીક પાસે હોવાની હકીકત મળતા તેની તપાસ કરતા ત્યાંથી આરોપીને ઝડપી લીધેલ છે અને આ અંગેની જામનગર જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ છે


યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામ પાસે રહેતો કૈલાશ ભરતભાઈ ચૌધરી નામનો ૪૪ વર્ષનો યુવાન મોરબીના મકનસર ગામ પાસેથી વાહન લઈને જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા પહોંચતા ૧૦૮ વડે મોરબી સિવિલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે. જ્યારે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા બાબુભાઈ ભાણજીભાઈ સોલંકી નામના ૬૫ વર્ષીય વૃદ્ધને પણ સારવાર માટે લઈ જવાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે રહેતા ચંદ્રિકાબેન ઉર્ફે ચેતનાબેન સંજયભાઈ આદ્રોજા નામની ૩૮ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે ઢુવા ગામ પાસે માટેલ રોડ ઉપર ભવાની હોટલ નજીક તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા ચંદ્રિકાબેન આજ






Latest News