મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતા પૂલના હતભાગીઓના મોક્ષાર્થે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન


SHARE











મોરબીમાં ઝુલતા પૂલના હતભાગીઓના મોક્ષાર્થે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન

મોરબીમાં ઝુલતાપૂલના મૃતકોના આત્માની શાંતિ અર્થે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દુર્ઘટનાની પ્રથમ માસિક તિથી એટ્લે કે આગામી તારીખ ૩૦ ના રોજ  ઝૂલતાપૂલના મૃતકોના આત્માની શાંતિ માટે ગાયત્રી હવન યોજાશે 

ઝુલતાપૂલની દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે જાગૃત મહિલા ગ્રુપ અને સામજિક કાર્યકર સતીશભાઈ કાનાબાર દ્વારા એવન્યુ પાર્ક શેરી નં. ૩ ના સાર્વજનિક પ્લોટ ખાતે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૩૦ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ વાગ્યા સુધી ગાયત્રી પરિવાર મોરબી તથા વાકાનેરના સહયોગથી આ ગાયત્રી હવન કરવામાં આવશે ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને યજ્ઞના દર્શન કરવા અને યજ્ઞમાં આહુતિ આપી મૃતકોના આત્માને પરમ શાંતિ મળે તે માટે હાજરી આપવા અનુરોધ કરવામાં આવ્યું છે અને મૃતકોના પરિવારજનો અથવા મોરબીની પ્રજામાંથી  કોઈપણ વ્યક્તિ હવનમાં બેસવા માંગતા હોય તો યજ્ઞના આયોજકોના મોબાઈલ નંબર ૯૮૭૯૮ ૨૪૧૬૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News