મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતા પૂલના હતભાગીઓના મોક્ષાર્થે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન


SHARE











મોરબીમાં ઝુલતા પૂલના હતભાગીઓના મોક્ષાર્થે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન

મોરબીમાં ઝુલતાપૂલના મૃતકોના આત્માની શાંતિ અર્થે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દુર્ઘટનાની પ્રથમ માસિક તિથી એટ્લે કે આગામી તારીખ ૩૦ ના રોજ  ઝૂલતાપૂલના મૃતકોના આત્માની શાંતિ માટે ગાયત્રી હવન યોજાશે 

ઝુલતાપૂલની દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે જાગૃત મહિલા ગ્રુપ અને સામજિક કાર્યકર સતીશભાઈ કાનાબાર દ્વારા એવન્યુ પાર્ક શેરી નં. ૩ ના સાર્વજનિક પ્લોટ ખાતે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૩૦ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ વાગ્યા સુધી ગાયત્રી પરિવાર મોરબી તથા વાકાનેરના સહયોગથી આ ગાયત્રી હવન કરવામાં આવશે ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને યજ્ઞના દર્શન કરવા અને યજ્ઞમાં આહુતિ આપી મૃતકોના આત્માને પરમ શાંતિ મળે તે માટે હાજરી આપવા અનુરોધ કરવામાં આવ્યું છે અને મૃતકોના પરિવારજનો અથવા મોરબીની પ્રજામાંથી  કોઈપણ વ્યક્તિ હવનમાં બેસવા માંગતા હોય તો યજ્ઞના આયોજકોના મોબાઈલ નંબર ૯૮૭૯૮ ૨૪૧૬૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News